Mahakumbh 2025:મહાકુંભ માટે સ્ટીવ જોબ્સની પત્ની ભારત પહોંચી, પણ શાહી સ્નાનમાં ન થઇ શકી સામેલ; જાણો શું છે કારણ…

Mahakumbh 2025:આજે મહાકુંભ સ્નાનનો બીજો દિવસ છે. મકરસંક્રાંતિ હોવાથી, આ દિવસને મહાસ્નાન કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સની તબિયત અચાનક બગડી ગઈ છે, જેઓ કલ્પવાસ માટે વિદેશથી આવ્યા હતા. આવી સ્થિતિમાં, છેલ્લા ઘણા કલાકોથી, તે સંગમમાં ડૂબકી લગાવશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

by kalpana Verat
Mahakumbh 2025 Steve Jobs' wife Laurene Powell faces health issues, recovering after 'Ganga snan'

  News Continuous Bureau | Mumbai

 Mahakumbh 2025:ગઈકાલ એટલે કે 13 જાન્યુઆરીથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો છે. પહેલું શાહી સ્નાન મકરસંક્રાંતિ  પર્વ એટલે કે આજે રોજ થઈ રહ્યું છે. મહાકુંભ પહેલા અમૃત સ્નાન માટે લગભગ 50 દેશોના ભક્તો પણ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેમાં આઇફોન નિર્માતા સ્ટીવ જોબ્સના સહ-સ્થાપકની પત્ની લોરેન પોવેલ પણ શામેલ છે. મહાકુંભમાં સ્વામી કૈલાશાનંદ ગિરીએ લોરેનને તેમનું ગોત્ર આપ્યું છે. તેમને કમલા નામ પણ આપવામાં આવ્યું છે. જોકે, મહાકુંભમાં પહોંચતાની સાથે જ તે બીમાર પડી ગઈ. તેથી તે આજે અમૃત સ્નાન કરી શકી નહીં.

 Mahakumbh 2025:ભીડવાળી જગ્યાથી એલર્જી થઈ ગઈ

સ્વામી કૈલાશાનંદ ગિરીએ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી છે. કૈલાશાનંદ ગિરીએ કહ્યું, લોરેન પોવેલ મારા કેમ્પમાં આરામ કરી રહી છે. તેને આટલી ભીડવાળી જગ્યાથી એલર્જી થઈ ગઈ છે. લોરેને કહ્યું કે તે આટલી ભીડવાળી જગ્યાએ પહેલાં ક્યારેય ગઈ નથી. આગળ તેમણે કહ્યું, લોરેલ પોવેલ ખૂબ જ સરળ સ્વભાવના છે. તેમણે પૂજા દરમિયાન અમારી સાથે ઘણો સમય વિતાવ્યો. અમારી પરંપરા એવી છે કે જેમણે પહેલાં તેને જોઈ નથી, તેઓ તેમાં જોડાવા માંગે છે.

 Mahakumbh 2025:લોરેન કાશી વિશ્વનાથની લીધી મુલાકાત 

મહત્વનું છે કે સોમવારે, લોરેલ પોવેલે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યારબાદ તે મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી. તેમણે કહ્યું હતું કે તેઓ 29 જાન્યુઆરી સુધી મહાકુંભ મેળામાં રહેશે. પરંતુ હવે તે 15 જાન્યુઆરી સુધી નિરંજની અખાડા કેમ્પમાં રહેશે. આ પછી, તે 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા જશે.

આ સમાચાર પણ વાંચો :  Maha Kumbh 2025: અરે વાહ.. ગૂગલ પર ‘મહાકુંભ’ સર્ચ કરતાં થશે પુષ્પવર્ષા! ગુલાબની પાખડીઓથી ભરાઈ જશે સ્ક્રીન, લો આનંદ

 Mahakumbh 2025: 4 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી

મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં આજે સાંજે 5 વાગ્યા સુધી લગભગ 4 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. સનાતન ધર્મના તમામ 13 અખાડાઓને મહાકુંભમાં સ્નાન માટે 30-40 મિનિટનો અલગ અલગ સમય આપવામાં આવ્યો છે. આ 13 અખાડાઓને 3 જૂથોમાં વહેંચવામાં આવ્યા છે – સંન્યાસી, વૈરાગી અને ઉદાસીન સન્યાસી જૂથમાં શ્રી પંચ દશનામ જુના અખાડા, શ્રી પંચાયતી અખાડા નિરંજની, શ્રી પંચાયતી અટલ અખાડા, શ્રી પંચાયતી અખાડા મહાનનિર્વાણિ, શ્રી શંભુ પંચગણી અખાડાનો સમાવેશ થાય છે. આમાં શ્રી પંચદશનમ આવાહ્ન અખાડા અને તપોનિધિ શ્રી આનંદ અખાડાનો સમાવેશ થાય છે.

 Mahakumbh 2025:ભારતમાં ફક્ત 4 સ્થળોએ મહાકુંભનું આયોજન થાય છે

મહાકુંભને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ માનવામાં આવે છે. તે દર ૧૩ વર્ષે આયોજિત થાય છે. ભારતમાં ફક્ત 4 સ્થળોએ મહાકુંભનું આયોજન થાય છે. આ સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક છે. પ્રયાગરાજમાં 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભનું આયોજન કરવામાં આવશે.

 Mahakumbh 2025: અમૃત સ્નાનની તારીખો 

આજે પહેલું અમૃત સ્નાન હતું. હવે બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના રોજ થશે. ત્રીજું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસે લેવામાં આવશે. ચોથું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમાના દિવસે થશે. છેલ્લું અમૃત સ્નાન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More