Maharashtra Farmer Loan Waiver 2026: મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી? સરકારે મંગાવી ખેડૂતોની વિગતો, બજેટ સત્રમાં થઈ શકે છે મોટી ઘોષણા

નાસિક જિલ્લા બેંકે ૭૪,૦૦૦ ખેડૂતોની માહિતી પોર્ટલ પર અપલોડ કરી; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ૬ માર્ચે રજૂ કરશે રાજ્યનું બજેટ.

by samadhan gothal
Maharashtra Farmer Loan Waiver 2026 મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી સરકારે મંગાવી

News Continuous Bureau | Mumbai
Maharashtra Farmer Loan Waiver 2026 મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની તમામ બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ દેવાદાર ખેડૂતોની સંપૂર્ણ માહિતી સરકાર દ્વારા ગઠિત ‘શિંદે સમિતિ’ને મોકલે. આ કવાયત પરથી એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થતા અંદાજપત્રીય સત્રમાંસરકાર ખેડૂતો માટે દેવામાફીની જાહેરાત કરી શકે છે.નાસિક જિલ્લા બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી અરવિંદ શિંદેએ માહિતી આપી છે કે, ૩૦ જૂન ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં જે ખેડૂતોનું દેવું બાકી છે તેમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૭૪,૦૦૦ ખેડૂતોની માહિતી રાજ્ય સરકારના પોર્ટલ પર અપલોડ પણ કરી દેવામાં આવી છે.

૨૩ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ

મહારાષ્ટ્ર વિધાનમંડળનું અંદાજપત્રીય સત્ર ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૫ માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજીત પવારના અકાળે અવસાન બાદ, આ વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ૬ માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ખેડૂતો માટે મોટી રાહત યોજનાઓની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે.

ડેટા કલેક્શનની પ્રક્રિયા તેજ બની

સરકારની સમિતિ દ્વારા જિલ્લાની સહકારી મંડળીઓ, સચિવો અને બેંકના શાખા અધિકારીઓ મારફતે ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સહ-નિબંધક અને નિબંધક કચેરીના અધિકારીઓ પણ આ પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે. આ ડેટાના આધારે સરકાર નક્કી કરશે કે કેટલા ખેડૂતોને કેટલી રકમની દેવામાફીનો લાભ મળી શકે તેમ છે.

આ સમાચાર પણ વાંચો : RPF LTT Life Saving Act: LTT ખાતે RPF જવાનોની દેવદૂત બનીને એન્ટ્રી: રક્સોલ એક્સપ્રેસમાં મુસાફરનો જીવ બચાવ્યો, ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ પ્રશંસનીય કામગીરી.

ખેડૂતોમાં આશાનું કિરણ

છેલ્લા કેટલાક સમયથી ખેતીમાં નુકસાન અને દેવાના બોજ હેઠળ દબાયેલા મહારાષ્ટ્રના ખેડૂતો લાંબા સમયથી દેવામાફીની માંગ કરી રહ્યા છે. બજેટ સત્રના પહેલા જ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કામકાજ શરૂ થશે. જો ૬ માર્ચે દેવામાફીની જાહેરાત થાય છે, તો તે રાજ્યના લાખો ખેડૂતો માટે ‘ગોડ ન્યૂઝ’ સાબિત થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More