Major Economic Shifts| મોંઘા થયા સોનાચાંદી અને દૂધ, જાણો છેલ્લા 96 કલાકમાં દેશના અર્થતંત્રમાં શું શું બદલાયું?

Major Economic Shifts| પશ્ચિમ એશિયામાં તણાવ અને મોંઘવારી વચ્ચે સરકારે લીધા મોટા નિર્ણયો; મનરેગા કાયદો રદ, સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધી અને રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો.

by Zalak Parikh
Major Economic Shifts| મોંઘા થયા સોનાચાંદી અને દૂધ, જાણો છેલ્લા 96 કલાકમાં દેશના અર્થતંત્રમાં શું શું બદલાયું?

 

News Continuous Bureau | Mumbai

Major Economic Shifts| છેલ્લા 4 દિવસ એટલે કે 10 મે થી 13 મે 2026 વચ્ચે દેશમાં આર્થિક અને નાણાકીય સ્તરે અનેક મોટા બદલાવ જોવા મળ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ઈરાન સંકટની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાવા લાગી છે. પીએમ મોદીની અપીલથી લઈને નવા લેબર કોડ સુધીના આ ફેરફારો તમારી જિંદગી પર સીધી અસર પાડશે.

પીએમ મોદીની અપીલ અને સોના પર ટેરિફ વધારો

રવિવારે પીએમ મોદીએ દેશવાસીઓને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને ઘરેલું પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારબાદ સરકારે તુરંત જ સોના-ચાંદી પર આયાત શુલ્ક (Import Duty) 6% થી વધારીને 15% કરી દીધો છે, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

દૂધ મોંઘું થયું અને મોંઘવારીમાં ઉછાળો

અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. બીજી તરફ, દેશનો છૂટક મોંઘવારી દર (CPI) વધીને 3.48% પર પહોંચી ગયો છે, જે સતત છઠ્ઠા મહિને વધ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધુ જોવા મળી રહી છે.

મનરેગા કાયદાનો અંત અને નવો VB-G RAM G એક્ટ

કેન્દ્ર સરકારે 11 મેના રોજ જાહેરાત કરી કે 20 વર્ષ જૂનો મનરેગા કાયદો હવે ઈતિહાસ બની જશે. 1 જુલાઈ 2026 થી તેની જગ્યાએ ‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ લાગુ થશે. નવા કાયદામાં રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે.

રૂપિયો રેકોર્ડ સ્તરે તૂટ્યો અને ઇંધણના ભાવમાં ભડકો

ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે 95.70 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈ ગવર્નરે પણ સંકેત આપ્યા છે કે જો ઈરાન સંકટ લાંબુ ચાલશે તો સરકાર પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવનો બોજ સામાન્ય જનતા પર નાખી શકે છે.

અન્ય મહત્વના ફેરફારો

GDP ડેટા: હવે જીડીપીના આંકડા મેના છેલ્લા દિવસે નહીં પણ દર વર્ષે 7 જૂને જાહેર થશે.
નવો લેબર કોડ: ઓવરટાઇમ કામ માટે હવે કંપનીઓએ સામાન્ય પગાર કરતા બમણી ચૂકવણી કરવી પડશે.
એર ઇન્ડિયા: ઈરાન યુદ્ધને કારણે 29 આંતરરાષ્ટ્રીય રૂટની ફ્લાઈટ્સ અસ્થાયી ધોરણે સ્થગિત કરી છે.

👉 આ સમાચાર વાચો:
India Sugar Export Ban। મોટો નિર્ણય ભારતે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો, સપ્ટેમ્બર સુધી વિદેશ નહીં જાય ખાંડ; જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય

You may also like