DGCAનો મોટો આદેશ, ફ્લાઇટ ટેકઓફ પહેલા દરરોજ પાયલટ અને એર હોસ્ટેસનો થશે આ ટેસ્ટ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

કોરોનાના કારણે અંદાજીત બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ આ અઠવાડિયે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે.

આ સાથે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ(DGCA)એ કેબિન ક્રૂ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. 

નવા નિયમો અનુસાર, ફ્લાઈટ શરૂ કરાય એ પહેલાં 50 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોની ઓચિંતી પ્રી-ફ્લાઈટ આલ્કોહોલ ટેસ્ટ લેવામાં આવશે. 

આ ઉપરાંત ગ્રાઉન્ડ હેન્ડલર્સ, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ તથા અન્ય એરપોર્ટ કર્મચારીગણમાં 10 ટકા સભ્યોને નવા ટેસ્ટ-નિયમમાં આવરી લેવામાં આવશે.

ડીજીસીએ ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે કહ્યું છે કે અમે પરિસ્થિતિ પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને વિમાન ઉડ્ડયનની કામગીરી સુરક્ષિત બની રહે એ માટે નિયમોને ફરી કડક બનાવી રહ્યાં છીએ. 

ઉલ્લેખનીય છે જ અત્યાર સુધી આ નિયમ 25 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોનો હતો.

આ સમાચાર પણ વાંચો : કોર્ટ રૂમો ફરી વકીલોની દલીલોથી ગાજશે, સુપ્રીમના સંકુલમાં આ તારીખથી શરૂ થશે ફિઝિકલ સુનાવણી; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More