Site icon

આફ્રિકી દેશ માલી માં સૈનિકોએ કર્યો વિદ્રોહ.. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ને બંધક બનાવ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

19 ઓગસ્ટ 2020 

પશ્ચિમ આફ્રિકી દેશ માલીમાં વિદ્રોહીઓએ તખ્તાપલટ ની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીને અટકાયતમાં લઇ લીધા છે. ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરીષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવ્યા ના અહેવાલો આવી રહ્યા છે. કહેવાય છે કે ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે અગાઉ વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિના અંગત નિવાસ્થાનને ઘેરી લીધું હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું..

 નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બઉબકર ને તેનાં પરથી હટાવવાની માંગણીને લઇને અનેક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા હતા. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ બળવા પાછળ કોનો હાથ હતો. પરંતુ આ ઘટના એ જ સૈન્ય બેરેકથી શરૂ થઈ હતી. જ્યાં 2012માં બળવો શરૃ થયો હતો. માલીના વડા પ્રધાન રહેલા બોબોઈ સિસે લોકોને વિનંતી કરી છે કે તેઓ હથિયાર હેઠા મૂકી દે અને દેશના હિત ને પ્રાધાન્ય આપે.. 

સૈન્યના માધ્યમથી અટકાયતમાં લેવામાં આવ્યા બાદ માલી પ્રમુખ ઇબ્રાહિમ બઉબકર કીતાએ મંગળવારે રાજીનામું આપ્યું હતું અને સંસદનું વિસર્જન પણ થઈ ગયું છે. હકીકતમાં, માલી પહેલેથી જ જેહાદી બળવાઓનો સામનો કરી રહી છે અને અહીં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

રોહિંગ્યા પર CJI સૂર્યકાન્તની ટિપ્પણી પર સવાલો ઊઠતા ૪૪ નિવૃત્ત ન્યાયાધીશો આવ્યા સમર્થનમાં!
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Goa Night Club Fire: કાયદાથી બચવાનો પ્રયાસ વિદેશ ભાગેલા લૂથરા બંધુઓ ગોવા અગ્નિકાંડમાં ધરપકડથી બચવા લીધો દિલ્હી કોર્ટ નો આશરો
Aniruddhacharya: કથાવાચક અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી: યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી બદલ CJM કોર્ટમાં પરિવાદ નોંધાયો, કોર્ટે લીધો મોટો નિર્ણય
Exit mobile version