મોટા સમાચાર : શ્રી કૃષ્ણ જન્મભૂમિ ના દાવાને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર્યો નહીં.. કહી આ મહત્વપૂર્ણ વાત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર પૂર્ણ કબજા માટે દાખલ કરવામાં આવેલી પિટિશનને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો છે.પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૬૮માં ગેરકાયદેસર સમજોતા હેઠળ કૃષ્ણ ભગવાનના ખરા જન્મ સ્થળ પર મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી.

આ સંદર્ભે કોર્ટે કહ્યું કે ૧૯૯૧માં પ્લેસીસ ઓફ વર્ષીય એક હેઠળ તમામ ધાર્મિક સ્થળોને હાલ પ્રોટેક્શન મળ્યું છે. આ કાયદામાં અયોધ્યા ને અપવાદ રાખવામાં આવ્યો હતો. આથી અયોધ્યા નો કેસ ચાલી શક્યો. 

અરજદારોએ કોર્ટમાં કહ્યું કે જે સમજૌતા હેઠળ મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી છે તે સંધિ ગેરલાયક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય. તેને ફગાવવી જરૂરી છે. આ માટે તેમણે ભારતીય દંડ સંહિતાની ધારા 16 અને 20 નો હવાલો આપ્યો હતો. તેમણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે ઘટના ક્રમ પ્રમાણે તમામ દસ્તાવેજો કોર્ટ સામે રજૂ કર્યા હતા. અને જણાવ્યું હતું કે આઝાદી પછી આ જમીન ગેરકાયદેસર રીતે મસ્જિદને આપી દેવાઈ છે.

હવે અરજદારો પાસે ઉપલી અદાલતમાં અરજી કરવાનો વિકલ્પ રહે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More