ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત જાહેરાતો માટે આ પેલ્ટફોર્મે બનાવ્યા નવા નિયમ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ થશે લાગુ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર 

મેટાએ ભારતમાં જાહેરાતકર્તાઓ માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સામાજિક મુદ્દાઓ પર જાહેરાત કરવા માટે નવા નિયમો જાહેર કરી રહી છે. 

હવે નવી સિસ્ટમ હેઠળ, સામાજિક મુદ્દાઓ પર જાહેરાતો ચલાવનાર કોઈપણ વ્યક્તિએ તે માટે અધિકૃત હોવું જરૂરી રહેશે.

આ ઉપરાંત, આ જાહેરાતો ચલાવતી વ્યક્તિ અથવા સંસ્થાના નામ સાથે ડિસ્ક્લેમર પણ સામેલ હોવું આવશ્યક છે.

નવા નિયમો 9 સામાજિક મુદ્દાઓ સાથેની જાહેરાતો પર લાગુ થશે. 

આ પર્યાવરણીય રાજકારણ, અપરાધ, અર્થતંત્ર, આરોગ્ય, રાજકીય મૂલ્યો અને શાસન, નાગરિક અને સામાજિક અધિકારો, ઇમિગ્રેશન, શિક્ષણ અને અંતે સુરક્ષા અને વિદેશ નીતિ તરીકે સૂચિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકે ઓક્ટોબરમાં કંપનીનું નામ ફેસબુકથી બદલીને મેટા કરી દીધું. હવે ભારત સહિત વિશ્વમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને હવે મેટા તરીકે ઓળખવામાં આવે છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ પુત્રીને આપ્યો જન્મ
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More