Site icon

રાજ્ય સરકારો ધ્યાન રાખે કે મજૂર રેલવેના પાટા પર ન ચાલે: કેન્દ્ર સરકારનું પરિપત્રક

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 મે 2020 

16 મજુરોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર હવે સફાળી જાગી છે. ગૃહ મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખી જાણ કરવામાં આવી છે કે "એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી જતા લોકોને રસ્તા પર ચાલવાની કે રેલવે ટ્રેકના પાટે પાટે  ચાલી જતા લોકોને રોકવામાં આવે, કરણ કે  આમ ચાલીને જવાથી તેઓના જીવને જોખમ છે". પાછલા થોડા દિવસોથી જોવા મળ્યું છે કે ટ્રેનની, બસની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર પાસે વધુ ટ્રેનોની માંગ ન થવાથી મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી ગયા છે. કેન્દ્ર દ્વારા કહેવાયું છે કે આવા લોકોને નજીકમાં બનેલા શૅલ્ટર હોમમાં લઈ જાઈ તેઓના રહેવાની અને ખોરાક, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં સુધી બસ કે ટ્રેન તેઓના ગામ સુધી જતી નહીં મળે, એનો બંદોબસ્ત ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેઓને રોકી રાખે એવી પણ કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે..

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version