Site icon News Continuous Bureau | Mumbai

Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ

Akasa Air Emergency। બેંગલુરુથી ભુવનેશ્વર જઈ રહેલા વિમાનને ખરાબ હવામાનના કારણે લખનૌ ડાયવર્ટ કરાયું પાયલટે 'PAN PAN' કોલ કરીને માંગી મદદ, ૧૯૪ મુસાફરોનો આબાદ બચાવ.

Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ

Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Akasa Air Emergency। બેંગલુરુથી ભુવનેશ્વર જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટ QP 1503માં તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યારે હવામાં જ વિમાનમાં ઈંધણ (ફ્યુઅલ) ખુટી જવાની અણી પર આવી ગયું હતું. ગંભીર પરિસ્થિતિને જોતા એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તાત્કાલિક ધોરણે ‘ફૂલ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી. જોકે, પાયલટની સમજદારીના કારણે વિમાનનું લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવી લેવાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકાસા એરનું આ બોઈંગ 737 MAX 8 વિમાન હતું, જેમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૯૪ મુસાફરો સવાર હતા.

ભુવનેશ્વરમાં ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરાતા સર્જાઈ કટોકટી

મળતી માહિતી મુજબ, ભુવનેશ્વર એરપોર્ટ પર ભારે ખરાબ હવામાનના કારણે આ વિમાનને રાત્રે આશરે ૮:૪૦ વાગ્યે લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન જ વિમાનમાં ઈંધણનું સ્તર જોખમી રીતે ઓછું થઈ ગયું હતું. સ્થિતિ બગડતી જોઈને પાયલટે હવામાં જ સિક્યોરિટી એલર્ટ એટલે કે “PAN PAN” કોલ જાહેર કર્યો હતો અને એટીસી પાસે પ્રાથમિકતાના આધારે લેન્ડિંગની મંજૂરી માંગી હતી. પાયલટે વિનંતી કરી હતી કે વિમાનને એક જ પ્રયાસમાં રનવે પર ઉતરવાની પરવાનગી આપવામાં આવે જેથી ઈંધણની અછત વચ્ચે અકસ્માત વિના પ્લેન લેન્ડ થઈ શકે.

એટીસીએ મિનિટોમાં એક્શન લઈ રનવે પર તૈનાત કરી ફાયર બ્રિગેડની ટીમો

પાયલટ તરફથી લો-ફ્યુઅલની માહિતી મળતાની સાથે જ લખનૌ એર ટ્રાફિક કંટ્રોલ એક્શનમાં આવ્યું હતું અને રાત્રે ૯:૦૨ વાગ્યે એરપોર્ટ પર ફૂલ ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. આદેશ મળતા જ એરપોર્ટના તમામ ઈમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરાયા હતા અને રાત્રે ૯:૦૪ વાગ્યે રનવેની આસપાસ ક્રેશ ફાયર ટેન્ડર્સ અને મેડિકલ ટીમો ગોઠવી દેવામાં આવી હતી, જેથી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને તાત્કાલિક કાબૂમાં લઈ શકાય. મુસાફરોના જીવ બચાવવા માટે એરપોર્ટ પ્રશાસને ગણતરીની મિનિટોમાં જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી.

લખનૌ રનવે પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત

તમામ અડચણો વચ્ચે અકાસા એરના આ વિમાને રાત્રે ૯:૨૧ વાગ્યે લખનૌ એરપોર્ટના રનવે 09 પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું. વિમાન જમીન પર ઉતર્યાની એક મિનિટ બાદ પાયલટે એટીસીને સંદેશ મોકલ્યો હતો કે તમામ ઓપરેશન સામાન્ય છે અને કોઈ વધારાની તબીબી કે ટેકનિકલ સહાયની જરૂર નથી. ત્યારબાદ પ્લેનને કાળજીપૂર્વક બે-10 પાર્કિંગ એરિયામાં લાવવામાં આવ્યું હતું, જ્યાં રાત્રે ૯:૨૯ વાગ્યે તેને પાર્ક કરાયું હતું. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી. આ ઘટના બાદ ૩ મુસાફરોએ લખનૌમાં જ પ્રવાસ રોકી દીધો હતો, જ્યારે બાકીના મુસાફરો સાથે વિમાનને ફરી ભુવનેશ્વર મોકલવાની તૈયારી હાથ ધરાઈ હતી.

👉 આ સમાચાર વાચો:
Twisha Sharma Case।હાઈકોર્ટ તરફથી સાસુને ઝટકો, ત્વિષા શર્મા કેસમાં કાયદાકીય ગાળિયો કસાયો

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version