Ministry of AYUSH: આયુષ મંત્રાલયે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટે નામાંકનો શરૂ કરવાની કરી જાહેરાત, આ તારીખ સુધી નામાંકન સબમિટ કરી શકાશે

Ministry of AYUSH: આયુષ મંત્રાલયે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટે નામાંકનો શરૂ કરવાની જાહેરાત કરી

by khushali ladva
Ministry of AYUSH Ministry of AYUSH announces opening of nominations for Prime Minister's Yoga Awards 2025

Ministry of AYUSH: આયુષ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY2025) ના 2025 સંસ્કરણ માટે પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો માટે નામાંકનો શરૂ કરવાની જાહેરાત કરી. આ પુરસ્કારો એવા વ્યક્તિઓ અને સંગઠનોને ઓળખ કરે છે, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના પ્રમોશન અને વિકાસમાં નોંધપાત્ર અને સતત યોગદાન આપ્યું છે.

સમાજ પર યોગના ઊંડા પ્રભાવને માન આપવા માટે સ્થાપિત, પ્રધાનમંત્રી યોગ પુરસ્કારનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં અનુકરણીય યોગદાનની ઉજવણી કરવાનો છે. જે રોગ નિવારણ, આરોગ્ય જાળવણી અને જીવનશૈલી સંબંધિત વિકારોના સંચાલનમાં યોગની ભૂમિકાને મજબૂત બનાવે છે. માનનીય પ્રધાનમંત્રી દ્વારા વ્યક્તિગત રીતે સમર્થન પામેલા આ પુરસ્કારો, યોગના વિકાસ અને પ્રચારમાં અમૂલ્ય યોગદાનને ઓળખવા અને ઉજવણી કરવાની સરકારની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે સેવા આપે છે.

આ પુરસ્કારો રાષ્ટ્રીય વ્યક્તિ, રાષ્ટ્રીય સંગઠન, આંતરરાષ્ટ્રીય વ્યક્તિ અને આંતરરાષ્ટ્રીય સંગઠન શ્રેણીઓમાં આપવામાં આવશે. જેમાં દરેક વિજેતાને ટ્રોફી, પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Surat: શિક્ષણ અને ધાર્મિકતાનો સુસંગમ વધ્યો, સુરતના વિદ્યાર્થી જાગૃત્ત મહેશભાઈ રીબડીયાએ કર્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ

Ministry of AYUSH: અરજી કરનાર વ્યક્તિઓ 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ અને યોગ પ્રમોશનમાં ઓછામાં ઓછા 20 વર્ષ સમર્પિત સેવા ધરાવતા હોવા જોઈએ. અરજીઓ અને નામાંકન MyGov પ્લેટફોર્મ (https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/) દ્વારા 31 માર્ચ, 2025ના રોજ અથવા તે પહેલાં સબમિટ કરી શકાય છે. આ લિંક આયુષ મંત્રાલયની વેબસાઇટ અને તેની સ્વાયત્ત સંસ્થાઓની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. સંસ્થાઓ સીધી અરજી કરી શકે છે અથવા કોઈ અગ્રણી યોગ સંગઠન દ્વારા નામાંકિત થઈ શકે છે. દરેક અરજદાર/નોમિની દર વર્ષે ફક્ત એક જ શ્રેણી (રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય) માટે અરજી કરી શકે છે.

આયુષ મંત્રાલય દ્વારા રચાયેલી સ્ક્રીનીંગ સમિતિ બધી અરજીઓની સમીક્ષા કરશે અને મૂલ્યાંકન જ્યુરીને દરેક એવોર્ડ શ્રેણીમાં મહત્તમ 50 નામોની ભલામણ કરશે. વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ ધરાવતી જ્યુરી સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા હશે.

 આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ રજૂ કર્યા પોતાના પરિચયપત્રો, જાણો સમક્ષ જાણકારી

Ministry of AYUSH: આયુષ મંત્રાલય આપણી પરંપરાગત દવા અને સુખાકારી પ્રણાલીઓના વિકાસ અને પ્રોત્સાહન માટે સમર્પિત છે. જેમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથીનો સમાવેશ થાય છે. મંત્રાલય આ પ્રણાલીઓને આરોગ્યસંભાળના ક્ષેત્રમાં એકીકૃત કરવાનો પ્રયાસ કરે છે. જેથી વ્યક્તિઓ અને સમુદાયોની સુખાકારીમાં સર્વાંગી વધારો થાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More