Dilip Jaiswal: ભાવુક થયા મોદી… તો રડી પડ્યા દિલીપ જયસ્વાલ, શું બિહાર ના રાજકીય મેદાનમાં ભાજપના હાથમાં લાગ્યું બ્રહ્માસ્ત્ર?

Dilip Jaiswal: બિહારમાં 'જીવિકા બેંક' ના વર્ચ્યુઅલ શુભારંભ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દિવંગત માતા પર થયેલી ટિપ્પણીથી ભાવુક થયા, ત્યારે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ પણ રડી પડ્યા હતા. આ ઘટનાએ બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.

by Dr. Mayur Parikh
Modi Gets Emotional… And Dilip Jaiswal Cries

News Continuous Bureau | Mumbai

 બિહારમાં ‘જીવિકા બેંક’ ના વર્ચ્યુઅલ શુભારંભ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યા. વડાપ્રધાન તેમની દિવંગત માતા પર તાજેતરમાં થયેલી અપમાનજનક ટિપ્પણીથી દુઃખી થયા હતા, જે ગયા મહિને રાહુલ ગાંધીની ‘મતદાતા અધિકાર યાત્રા’ ના મંચ પરથી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી માં ભાજપને એક શક્તિશાળી હથિયાર (બ્રહ્માસ્ત્ર) મળી ગયું છે.

વડાપ્રધાન નું સંબોધન

મંગળવારે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ‘બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ યુનિયન લિમિટેડ’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, “મારી માતાને અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા, આ માત્ર મારી માતાનું અપમાન નથી. આ દેશની દરેક માતા, બહેન અને દીકરીનું અપમાન છે.” તેમણે વધુમાં કહ્યું, “મા જ આપણું વિશ્વ છે, મા જ આપણું સ્વાભિમાન છે. આ સંસ્કારી બિહારમાં થોડા દિવસ પહેલા જે થયું, તેની મેં કલ્પના પણ નહોતી કરી. કોંગ્રેસ અને આરજેડી ના મંચ પરથી મારી માતાને અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા “

આ સમાચાર પણ વાંચો : SCO Summit: ચીન પ્રવાસે વડાપ્રધાન ગયા એકલા… SCO સંમેલન માં વિદેશ મંત્રી ની ગેરહાજરી એ ઉભા કર્યા સવાલ, જાણો શું હતું કારણ?

દિલીપ જયસ્વાલ રડી પડ્યા

વડાપ્રધાનના આ ભાવુક સંબોધન દરમિયાન બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને રડી પડ્યા. જયસ્વાલ ઉપરાંત કાર્યક્રમમાં હાજર અન્ય લોકો, ખાસ કરીને મહિલાઓ પણ ખૂબ જ ભાવુક થઈ હતી અને તેમની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. આ ઘટના પછી, ભાજપ અને તેના સહયોગી પક્ષોએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા. દિલીપ જયસ્વાલે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસે વડાપ્રધાનની માતા પર જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી આખું બિહાર શરમ અનુભવી રહ્યું છે. આ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં 4 સપ્ટેમ્બરે બિહાર બંધ નું આહ્વાન પણ કરવામાં આવ્યું છે.

ભાજપને મળ્યું ‘બ્રહ્માસ્ત્ર’?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ અને એનડીએ વિપક્ષ દ્વારા વડાપ્રધાન મોદી વિરુદ્ધ થયેલા અપશબ્દોના ઉપયોગને એક નવા હથિયાર તરીકે ઉપયોગમાં લેશે. આ હથિયાર બિહારની ચૂંટણીમાં ‘બ્રહ્માસ્ત્ર’ સાબિત થઈ શકે છે અને કોંગ્રેસની ‘વોટર અધિકાર યાત્રા’ નો ફાયદો નુકસાનમાં ફેરવી શકે છે. ઉલ્લેખનીય છે કે, બિહારના દરભંગામાં કોંગ્રેસની ‘મતદાતા અધિકાર યાત્રા’ ના મંચ પરથી વડાપ્રધાન મોદી માટે અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જોકે તે મંચ પર કોંગ્રેસનો કોઈ મોટો નેતા હાજર નહોતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More