News Continuous Bureau | Mumbai
Modi Govt Report Card। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના તમામ મંત્રાલયોના કામકાજનો વિગતવાર હિસાબકિતાબ (લેખાજોખા) રજૂ કરવામાં આવ્યો હતો. કેબિનેટ સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી મૂલ્યાંકન પ્રણાલી અંતર્ગત વર્ષ ૨૦૨૫ ના પ્રદર્શનના આધારે મંત્રાલયોનું સત્તાવાર ‘રિપોર્ટ કાર્ડ’ જાહેર કરાયું છે. આ કડક સમીક્ષામાં વિવિધ શ્રેણીઓમાં સૌથી શ્રેષ્ઠ અને નબળું પ્રદર્શન કરનારા વિભાગોની ઓળખ કરવામાં આવી છે. આશરે ચાર કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને સરકારી ખર્ચાઓ પર કાપ મૂકવા અને ફિઝૂલખર્ચી તેમજ વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાની કડક સૂચના આપી છે.
કયા કયા પેમાના પર કસવામાં આવ્યું કેન્દ્રીય મંત્રાલયોને?
કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને (T.V. Somanathan) બેઠક દરમિયાન તમામ મંત્રાલયોનો વિગતવાર સ્કોરકાર્ડ રજૂ કર્યો હતો. નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સરકારી કામકાજને નાગરિકો માટે વધુ સુલભ અને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો હતો. આ મૂલ્યાંકન દરમિયાન મંત્રાલયોને માત્ર તેમના નિયમિત કાર્યો પર જ નહીં, પરંતુ જનશિકાયત નિવારણ (લોકોની સમસ્યાઓ કેટલી ઝડપથી ઉકેલાઈ), ફાઈલ મેનેજમેન્ટ (સરકારી ફાઈલોનો ઝડપી નિકાલ), આંતર-મંત્રાલય સંબંધોમાં વ્યૂહાત્મક સૂઝબૂઝ અને પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ) યુદ્ધ જેવા વૈશ્વિક સંકટો વચ્ચે દેશના હિતોનું રક્ષણ કરવા જેવા મહત્વના પેમાનાઓ પર પરખવામાં આવ્યા હતા.
ગ્રાહક બાબતો અને કોલસા મંત્રાલયે મેળવ્યો ટોપ સ્કોર, આ રહી યાદી
મોદી સરકારના મંત્રાલયોની આ કડી સમીક્ષામાં શાનદાર કામગીરી કરીને ટોપ સ્કોર મેળવનારા શ્રેષ્ઠ વિભાગોની યાદી જાહેર કરવામાં આવી છે, જો કે નબળું પ્રદર્શન કરનારા વિભાગોના નામ હજુ સત્તાવાર રીતે સામે આવ્યા નથી. આ સત્તાવાર મૂલ્યાંકનમાં ગ્રાહક બાબતોના મંત્રાલયે જન ફરિયાદ નિવારણ અને પશ્ચિમ એશિયા સંકટ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને ટોપ સ્કોર મેળવ્યો છે. આ ઉપરાંત, કોલસા મંત્રાલયે ફાઈલોનો ઝડપી નિકાલ અને ઉત્કૃષ્ટ વિભાગીય સંચાલન કરીને વહીવટી સ્તરે બાજી મારી છે. જ્યારે ઉર્જા મંત્રાલયે દેશની ઉર્જા સુરક્ષા અને નક્કી કરેલા લક્ષ્યાંકોની સમયસર પ્રાપ્તિ કરીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ કડી સ્પર્ધામાં આરોગ્ય મંત્રાલય પણ અગ્રેસર રહ્યું છે, જેણે દેશભરમાં આરોગ્ય સુવિધાઓ સુધારવા અને નીતિગત મોરચે શાનદાર કામગીરી કરીને રિપોર્ટ કાર્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
વિદેશ પ્રવાસો પર પ્રતિબંધ અને મોટા કાફલાઓ બંધ કરવા પીએમનો આદેશ
આગામી ૯ જૂનના રોજ મોદી ૩.૦ સરકારની બીજી વર્ષગાંઠ (2nd Anniversary) ઉજવાય તે પૂર્વે વડાપ્રધાને સરકારની ભવિષ્યની દિશા સ્પષ્ટ કરી દીધી છે. પીએમ મોદીએ મંત્રીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસો પર પ્રતિબંધ લગાવ્યો છે અને કહ્યું છે કે જ્યારે દેશહિતમાં અત્યંત અનિવાર્ય હોય ત્યારે જ વિદેશ યાત્રા કરવી. આ ઉપરાંત મંત્રીઓને પોતાના મોટા સુરક્ષા કાફલાઓ (કોન્વોય) નાના કરવા અને જનતા વચ્ચે સાદગીથી રહેવા જણાવાયું છે. પશ્ચિમ એશિયાના તણાવ અને ‘હોર્મુઝની સામુદ્રધુની’ ના (Strait of Hormuz) ગતિરોધને ધ્યાનમાં રાખીને ઉર્જા કટોકટીનો સામનો કરવા બાયોગેસ અને રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધારવા આદેશ અપાયો છે. આ નવી સિસ્ટમથી અમલદારશાહીમાં એવો સ્પષ્ટ સંદેશ ગયો છે કે મંત્રીઓની ખુરશી હવે માત્ર તેમના ‘પરફોર્મન્સ’ ના આધારે જ નક્કી થશે.
👉 આ સમાચાર વાચો:
Gold Rate Today। સોનાચાંદીની તેજી પર લાગી બ્રેક, ઓલટાઇમ હાઈ રેકોર્ડથી કિંમતોમાં ઘટાડો