મોદી સરકારે ઝુકવું પડ્યું, ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરીના કલાકો દરમ્યાન ચર્ચા થશે.. જાણો છો શું ફર્ક છે ક્વેશચન અવર અને ઝીરો અવર વચ્ચે..!!?

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

03 સપ્ટેમ્બર 2020

સંસદના આગામી ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. કોરોનાને ધાયમાં રાખી સરકારે પ્રશ્નોત્તરી અવધિને કાઢી નાખવાના નિર્ણય અંગે, વિપક્ષી નેતાઓએ આક્રમક પ્રતિક્રિયા આપ્યા બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રલાહદ જોશીએ લોકસભા અધ્યક્ષને, સભ્યો દ્વારા અવિશેષ પ્રશ્નોની મંજૂરી આપવા વિનંતી કરી છે. .

અતારાંકિત પ્રશ્નો એ છે જ્યાં સાંસદો દ્વારા પૂછાતા પ્રશ્નોના પ્રધાન લેખિતમાં જવાબ આપે છે, જ્યારે તારાંકિત પ્રશ્નોના ગૃહમાં મૌખિક જવાબ આપવામાં આવે છે. પ્રશ્નોતરી કલાક દરમ્યાન બધા પ્રશ્નો – સંસદના સત્રમાં હોય ત્યારે દરરોજ પહેલાં એક કલાક દરમ્યાન – સત્રના 15 દિવસ રજૂ કરવામાં આવે છે.  

વિરોધ પક્ષની માંગણી બાદ સરકારે બંને ગૃહોના વડાઓને વિનંતી કરી છે કે 'ઝીરો અવરનો સમયગાળો 30 મિનિટ રાખવો.' પ્રશ્નોત્તરી કલાકથી વિપરીત, જ્યારે સભ્યો કોઈ પણ મંત્રાલય સાથે સંબંધિત, કોઈપણ વર્તમાન મુદ્દાને ઝીરો અવર દરમિયાન ચર્ચા માટે ઉઠાવી શકે છે. પરંતુ સંબંધિત મંત્રી જવાબ આપવા માટે બંધાયેલા નથી હોતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More