Site icon

સંસદમાં મોદી સરકાર બોલી – માલ્યા અને નીરવ સહિત 38 લોકો 5 વર્ષમાં દેશ છોડી ભાગી ગયા છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 સપ્ટેમ્બર 2020

કોરોના સમયગાળામાં સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે નાણાં મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત 38 લોકો 1 જાન્યુઆરી 2015 થી લઈ 31 જાન્યુઆરી 2019 સુધીમાં દેશ છોડી ગયા છે. તમામ સામે નાણાકીય ગેરરીતિના કેસ નોંધાયા છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 

આ અવસરે નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હકીકતમાં, માલ્યાએ 2017 ના નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પરિવારના ખાતામાં બેંક લોન દ્વારા 40 મિલિયન ટ્રાન્સફર કરવાના મામલાને અવમાનજનક ગણાવી હતી.

લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના પહેલા દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 સુધી ચાલી હતી, હવે લોકસભા ગૃહ 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી બેસશે. તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી યોજાવાની છે, પરંતુ 15 સપ્ટેમ્બરથી સવારે 9:00 થી બપોરે 1:00 સુધી રહેશે. લોકસભા અને રાજ્યસભાનો સમય કોરોનાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવ્યો છે..

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version