Site icon

સંસદમાં મોદી સરકાર બોલી – માલ્યા અને નીરવ સહિત 38 લોકો 5 વર્ષમાં દેશ છોડી ભાગી ગયા છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 સપ્ટેમ્બર 2020

કોરોના સમયગાળામાં સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે નાણાં મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત 38 લોકો 1 જાન્યુઆરી 2015 થી લઈ 31 જાન્યુઆરી 2019 સુધીમાં દેશ છોડી ગયા છે. તમામ સામે નાણાકીય ગેરરીતિના કેસ નોંધાયા છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 

આ અવસરે નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હકીકતમાં, માલ્યાએ 2017 ના નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પરિવારના ખાતામાં બેંક લોન દ્વારા 40 મિલિયન ટ્રાન્સફર કરવાના મામલાને અવમાનજનક ગણાવી હતી.

લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના પહેલા દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 સુધી ચાલી હતી, હવે લોકસભા ગૃહ 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી બેસશે. તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી યોજાવાની છે, પરંતુ 15 સપ્ટેમ્બરથી સવારે 9:00 થી બપોરે 1:00 સુધી રહેશે. લોકસભા અને રાજ્યસભાનો સમય કોરોનાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવ્યો છે..

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
Exit mobile version