Site icon

આટલી મોટી લાપરવાહી!! આટલા કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા ગયા જ નહીં. આંકડો સાંભળી ચોંકી જશો.

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Community

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર

હાલમાં દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લેવા માટે અપીલ કરાઈ રહી છે. તે છતાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન ન લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહિ લેનારા લોકો બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.

 

આંકડા મુજબ દેશમાં અંદાજે ૬.૧૨ કરોડ લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમાંથી ૧૦ ટકા લોકોએ પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો હતો. તેમણે ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો. જે મુદ્દત પૂરી થયા છતાં લેવાયો નથી. મહારાષ્ટ્રમાં ૪૧.૭૫ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

 

મીડિયાના અહેવાલ મુજબ છત્તીસગઢમાં ૩૬.૭૦ લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. ઝારખંડમાં આ આંકડો ૨૨.૨૯ લાખનો છે. ઉત્તર પ્રદેશના ૯૮.૫૬ લાખ લોકોએ એક જ ડોઝ લીધો છે. રાજસ્થાનમાં ૬૬. ૭૮ લાખ અને બિહારમાં આવા ૪૧.૧૩ લાખ લોકો છે. જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો ૫૧.૮૨ લાખ છે.

Delhi Dwarka Scorpio Accident: દિલ્હીમાં સગીર ચાલકે રીલ બનાવવાના ચક્કરમાં યુવકનો જીવ લીધો, પીડિત પરિવારે આરોપી વિરુદ્ધ કડક સજાની માંગ કરી
France as India’s ‘New Russia’: શું રશિયાને રિપ્લેસ કરશે ફ્રાન્સ? મુંબઈમાં પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની આજની મુલાકાત કેમ છે ઐતિહાસિક; જાણો અંદરની વિગત
Shahpur Kandi Dam Completion: પાકિસ્તાન હવે પાણીના એક-એક ટીપા માટે તરસશે! રાવી નદી પર ભારતનો ‘શાહપુર કંડી ડેમ’ તૈયાર; પીએમ મોદીના માસ્ટર પ્લાનથી પાડોશી દેશમાં ફફડાટ.
AI Impact Summit Day 2: AI દુનિયાના માંધાતાઓ આજે એક મંચ પર! ચાઈલ્ડ સેફ્ટી અને હેલ્થકેર પર થશે મોટા મંથન; જાણો બીજા દિવસે શું ખાસ હશે
Exit mobile version