Site icon News Continuous Bureau | Mumbai

આટલી મોટી લાપરવાહી!! આટલા કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા ગયા જ નહીં. આંકડો સાંભળી ચોંકી જશો.

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Channel

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર

હાલમાં દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લેવા માટે અપીલ કરાઈ રહી છે. તે છતાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન ન લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહિ લેનારા લોકો બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.

 

આંકડા મુજબ દેશમાં અંદાજે ૬.૧૨ કરોડ લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમાંથી ૧૦ ટકા લોકોએ પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો હતો. તેમણે ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો. જે મુદ્દત પૂરી થયા છતાં લેવાયો નથી. મહારાષ્ટ્રમાં ૪૧.૭૫ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

 

મીડિયાના અહેવાલ મુજબ છત્તીસગઢમાં ૩૬.૭૦ લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. ઝારખંડમાં આ આંકડો ૨૨.૨૯ લાખનો છે. ઉત્તર પ્રદેશના ૯૮.૫૬ લાખ લોકોએ એક જ ડોઝ લીધો છે. રાજસ્થાનમાં ૬૬. ૭૮ લાખ અને બિહારમાં આવા ૪૧.૧૩ લાખ લોકો છે. જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો ૫૧.૮૨ લાખ છે.

US Fed Appointment વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની શાન, US Fed ની ટીમમાં RBI ના પૂર્વ ગવર્નર સહિત ૩ ભારતીયોની પસંદગી.
India’s Hydrogen Train ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ભારતની ટ્રેન; કેટલી સુરક્ષિત છે આ નવી ટેકનોલોજી?
E20 Petrol Testing E20 પેટ્રોલ પર ઉઠતા સવાલો વચ્ચે HPCL ના 3,600થી વધુ ટેસ્ટ; જાણો રિપોર્ટમાં શું બહાર આવ્યું!
ISRO Brain Drain ISRO કેમ છોડી રહ્યા છે અનુભવી વિજ્ઞાનીઓ? એક વર્ષમાં 100થી વધુના રાજીનામા, સરકાર એક્શનમાં!
Exit mobile version