Site icon

MP Politics: પ્રિયંકા ગાંધી-કમલનાથ સામે ઈન્દોર સહિત 41 જિલ્લામાં નોંધાયી ફરિયાદ… શિવરાજ સરકાર વિરુદ્ધ કર્યુ હતું આ ટ્વિટ… જાણો સમગ્ર વિગતો અહીં…

MP Politics: બીજેપીના લીગલ સેલે ઈન્દોર, ગ્વાલિયર સહિત 41 જિલ્લામાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને કમલનાથ વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઈઆર અંગે કમલનાથે કહ્યું કે ઘણા મુદ્દા છે. તમે કેટલા પર FIR દાખલ કરશો.

BJP took a big step in the midst of an uproar in MP on Priyanka Gandhi's tweet, FIR in 41 districts

MP Politics: BJP took a big step in the midst of an uproar in MP on Priyanka Gandhi's tweet, FIR in 41 districts

News Continuous Bureau | Mumbai 

  MP Politics: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના એક ટ્વિટથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે કાર્યવાહી કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) ના લીગલ સેલે હવે 41 જિલ્લામાં એફઆઈઆર દાખલ કરી છે. બીજેપીના લીગલ સેલે માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ કોંગ્રેસના એમપી યુનિટના ચીફ કમલનાથ સામે પણ એફઆઈઆર નોંધાવી છે.

Join Our WhatsApp Community

પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટર પર દાવો કર્યો હતો કે મધ્ય પ્રદેશના કોન્ટ્રાક્ટરોના સંગઠને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ કરી છે કે તેમને 50 ટકા કમિશન ચૂકવ્યા પછી જ પગાર મળે છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40 ટકા કમિશન વસૂલતી હતી. મધ્યપ્રદેશની ભાજપ સરકાર ભ્રષ્ટાચારના પોતાના જ રેકોર્ડ તોડીને આગળ વધી છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશન સાથે સરકારને સત્તા પરથી હટાવી, હવે મધ્યપ્રદેશની જનતા 50 ટકા કમિશન સાથે સરકારને હટાવશે.

આ સમાચાર પણ વાંચો : Home Loan Cheaper: સપનાનું ઘર અને ગાડી લેવી બની સરળ! આ સરકારી બેંકે આપી મોટી ખુશખબર, સસ્તી કરી હોમ લોન; પ્રોસેસિંગ ફીમાં પણ કર્યો આટલા ટક્કા ઘટાડો.. જાણો અહીં…

 ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર સહિત 41 જિલ્લામાં નોંધાઈ FIR

કહેવામાં આવ્યું કે ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર સહિત 41 જિલ્લામાં પ્રિયંકા અને કમલનાથ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઈન્દોરમાં, એડીસીપી રામ સનેહી મિશ્રાએ કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓએ મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી મૂકી રહ્યા છે અને તેનાથી તેમના (ભાજપ) નેતાઓની છબી ખરાબ થઈ રહી છે. … તપાસ ચાલી રહી છે અને તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવશે… મેમોરેન્ડમમાં પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા કમલનાથે પણ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હજારો મુદ્દા છે, ભાજપ કેટલા કેસ દાખલ કરશે? જ્યારે ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે, ત્યારે તેમની પાસે શું ઉકેલ બચ્યો છે?… મધ્યપ્રદેશના મતદારોએ એમપી સીએમ શિવરાજ સિંહને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.’

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શ્રુતકીર્તિ સોમવંશીએ જણાવ્યું કે ઈન્દોર બાદ ભોપાલમાં પણ 50 ટકા કમિશન કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રિયંકા ગાંધી, કમલનાથ, અરુણ યાદવ, જયરામ નરેશ, શોભા ઓઝા અને જ્ઞાનેન્દ્ર અવસ્થી (જેઓ પત્રમાં મધ્યપ્રદેશ સરકાર પર કોન્ટ્રાક્ટર પાસેથી 50 ટકા કમિશન લેવાનો આરોપ લગાવતા હતા)ના સોશિયલ મીડિયા આઈડી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ભાજપના ભોપાલ જિલ્લા અધ્યક્ષ સુમિત પચૌરીની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે, જે આઈપીસીની કલમ 469,500,501 હેઠળ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે.

Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Chaitanya Nanda: ‘સંન્યાસી ભોજન અને…’ ચૈતન્યાનંદે કોર્ટ સામે મૂકી આ ત્રણ માંગ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
Army Chief: ‘પાકિસ્તાન વિચારી લે નકશા પર રહેવું છે કે નહીં, આર્મી ચીફની કડક ચેતવણી
bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Exit mobile version