ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
જમીન સંપાદનના મુદ્દે કેન્દ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી ગણાતો મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઘોંચમાં મુકાઈ ગયો છે, ત્યારે મુંબઈથી વધુ બે નવા રૂટ પર સરકાર બુલેટ ટ્રેન દોડાવાનાં સપનાં જોઈ રહી છે. સરકાર મુંબઈથી હૈદરાબાદ અને મુંબઈથી નાગપુર વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માગે છે.
સરકાર મુંબઈથી પુણે થઈને હૈદરાબાદ તથા મુંબઈથી નાશિક થઈને નાગપુર સુધી બુલેટ ટ્રેન દોડાવવા માગે છે. એ માટે પ્રોજેક્ટ રિપૉર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નૅશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશન એના પર 8થી 10 મહિનામાં રિપૉર્ટ તૈયાર કરે એવો અંદાજો છે.
જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં લોકડાઉન ખતમ થઈ રહ્યું છે ત્યારે આ રાજ્ય એ લોકડાઉન લાગુ કર્યું. જાણો વિગત
મુંબઈ-પુણે-હૈદરાબાદ વચ્ચે 600 કિલોમીટરના હાઈસ્પીડ માર્ગ માટે એરિયલ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. એ સિવાય મુંબઈ-નાશિક-શિર્ડી અને નાગપુર લાઇન માટે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.