Site icon

આ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ, ચૂંટણી પર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાશે. સામાન્ય ચૂંટણીઓ પહેલા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ સમુદાય માટે અનામત રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ આની જાહેરાત કરી છે અને આનાથી રાજકીય વિવાદ ઉભો થવાની સંભાવના છે. આ આગામી ચૂંટણીમાં પ્રચારનો મુખ્ય મુદ્દો બની રહેશે.

karnataka basavaraj bommai

karnataka basavaraj bommai

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલ 4 ટકા આરક્ષણ રદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુસ્લિમો માટેનું આરક્ષણ હટાવી દેવામાં આવ્યું છે અને તે વોક્કાલિગા અને લિંગાયત સમુદાયોને આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

વોક્કાલિગા અને લિંગાયત સમુદાયોને બે-બે ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. તેથી વોક્કાલિગા સમુદાય માટે આરક્ષણ 4 ટકાથી વધીને 6 ટકા અને લિંગાયત સમુદાય માટે આરક્ષણ 5 ટકાથી 7 ટકા થયું છે. આ બંને સમુદાયના મતો વિધાનસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જર છે. આથી આ અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના ધારાવી માં અદાણીની વિરુદ્ધમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ પાર્ટીઓ સામેલ છે

આરક્ષણ મર્યાદા વધી

કર્ણાટક સરકારે અનામત મર્યાદામાં પણ વધારો કર્યો છે. આરક્ષણ મર્યાદા 50 ટકાથી વધારીને 56 ટકા કરવામાં આવી છે. તેમજ મુસ્લિમ સમાજની અનામત રદ કરીને તેમને આર્થિક રીતે નબળા વર્ગમાં સમાવી લેવાયા છે. નવા ફેરફારો અનુસાર મુસ્લિમ સમુદાય EWS ક્વોટાનો લાભ લઈ શકશે. જેમાં જૈનો, બ્રાહ્મણો, મુદલિયાઓ, વૈશ્ય અને અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે.

ધાર્મિક લઘુમતીઓનો ક્વોટા ખતમ!

મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ધાર્મિક લઘુમતીઓ માટેનો ક્વોટા ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ ફેરફાર વિના આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ના આરક્ષણનો લાભ મેળવી શકશે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version