Site icon

NBS scheme : મંત્રીમંડળે ખાતરો પર ખરીફ સિઝન, 2024 માટે પોષકતત્વો આધારિત સબસિડી દરોને મંજૂરી આપી

NBS scheme : ખાતરો અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને પી એન્ડ કે ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવી.

NBS scheme Cabinet approves nutrient-based subsidy for P&K fertilisers for kharif season

NBS scheme Cabinet approves nutrient-based subsidy for P&K fertilisers for kharif season

News Continuous Bureau | Mumbai 

 NBS scheme : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Cabinet ) મંજૂરી આપી ધ ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2024 (01.04.2024થી 30.09.2024 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી ( Subsidy ) (એનબીએસ) દરો નક્કી કરવા તથા એનબીએસ યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડનો સમાવેશ કરવાની દરખાસ્ત. ખરીફ સિઝન 2024 માટે કામચલાઉ અંદાજપત્રીય જરૂરિયાત આશરે રૂ.24,420 કરોડ હશે.

Join Our WhatsApp Community

લાભો:

ખેડૂતોને સબસિડીવાળા, વાજબી અને વાજબી ભાવે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. ખાતરો અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને પી એન્ડ કે ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવી.

એનબીએસમાં ત્રણ નવા ગ્રેડના સમાવેશથી સંતુલિત જમીનની તંદુરસ્તીને પ્રોત્સાહન મળશે અને ફ્રેમર્સને જમીનની જરૂરિયાત મુજબ સૂક્ષ્મ-પોષકતત્વો ધરાવતા ખાતરોની પસંદગી કરવા માટે વિકલ્પો ઉપલબ્ધ થશે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

પીએન્ડકે ખાતરો પર સબસિડી ખરીફ 2024 (01.04.2024થી 30.09.2024 સુધી લાગુ) માટે મંજૂર દરોના આધારે પ્રદાન કરવામાં આવશે, જેથી ખેડૂતોને પરવડે તેવા દરે આ ખાતરો સરળતાથી ઉપલબ્ધ થાય.

આ સમાચાર પણ વાંચો : Critical minerals : કેન્દ્રીય મંત્રીમંડળે આ 12 મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજોના ખનન માટે રોયલ્ટીના દરને મંજૂરી આપી

પાર્શ્વભાગ:

સરકાર ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો મારફતે સબસિડીના ભાવે 25 ગ્રેડના પીએન્ડકે ખાતરો ઉપલબ્ધ કરાવી રહી છે. પીએન્ડકે ખાતરો પરની સબસિડીનું સંચાલન એનબીએસ યોજના દ્વારા 01.04.2010થી થાય છે. ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ અનુસાર, સરકાર ખેડૂતોને પોષણક્ષમ કિંમતે પીએન્ડકે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતરો અને ઇનપુટની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના પ્રવાહોને ધ્યાનમાં રાખીને સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર 01.04.24થી 30.09.24 સુધી અસરકારક ખરીફ 2024 માટે એનબીએસનાં દરોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. સરકારે એનબીએસ યોજના હેઠળ 3 નવા ફર્ટિલાઇઝર ગ્રેડનો સમાવેશ કરવાનો પણ નિર્ણય લીધો છે. ખાતર કંપનીઓને માન્ય અને સૂચિત દરો મુજબ સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version