News Continuous Bureau | Mumbai
Supreme Court Order નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ તાજેતરમાં ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક ‘Exploring Society: India and Beyond’ ને પાછું ખેંચવાનો અને વિવાદિત પ્રકરણ પર જાહેરમાં માફી માંગવાનો નિર્ણય લીધો છે. આ પુસ્તકના પ્રકરણ 4 ‘The Role of Judiciary in Our Society’ (આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા) માં ન્યાયતંત્રની છબી ખરડાય તેવા લખાણને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો.આ પ્રકરણમાં ન્યાયતંત્ર સમક્ષ રહેલા પડકારો જેવા કે ભ્રષ્ટાચાર, કેસોનો મોટો બેકલોગ, જજોની અછત અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCERT એ તેની અખબારી યાદીમાં સ્વીકાર્યું છે કે આ પ્રકરણમાં ‘અનુચિત ટેક્સ્ટ્યુઅલ કન્ટેન્ટ’ ભૂલથી સામેલ થઈ ગયું હતું. કાઉન્સિલે સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો કોઈ પણ બંધારણીય સંસ્થાની ગરિમા ઘટાડવાનો નહોતો.
NCERT tweets, “The National Council of Educational Research and Training [NCERT] has recently published a social science textbook, “Exploring Society: India and Beyond,” Grade 8 (Part II), which contained Chapter IV titled “The Role of Judiciary in our Society.” The Director and… pic.twitter.com/omElzTF3Ar
— ANI (@ANI) March 10, 2026
સુપ્રીમ કોર્ટે લીધી સ્વતઃ સંજ્ઞાન, પુસ્તક પર લાદ્યો પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લેતા કડક ટિપ્પણી કરી હતી કે ન્યાયતંત્ર જેવી બંધારણીય સંસ્થાની છબીને નુકસાન પહોંચાડતું કોઈ પણ લખાણ સ્વીકાર્ય નથી. કોર્ટે આ પુસ્તક પર વર્ચ્યુઅલી પ્રતિબંધ મૂકી દીધો છે અને તમામ નકલો બજાર તેમજ શાળાઓમાંથી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 11 માર્ચના રોજ થવાની છે.
ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કડક કાર્યવાહી
યુપી સરકાર અને શિક્ષણ વિભાગે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. લખનઉ, ફિરોઝાબાદ, મહારાજગંજ અને બુદાયુ જેવા જિલ્લાઓમાં ધોરણ 8 ના આ પુસ્તકનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ શાળામાં આ પુસ્તક ભણાવવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. શાળાઓને તાત્કાલિક અસરથી આ પ્રકરણ ભણાવવાનું બંધ કરવા જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump on Russian Oil: રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવશે અમેરિકા? ક્રૂડ ઓઈલના વધતા ભાવને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો સંકેત; વાંચો લેટેસ્ટ અપડેટ
શિક્ષણવિદો અને વાલીઓમાં ચર્ચાનો વિષય
NCERT ના આ નિર્ણયની અસર દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર પડશે. શિક્ષણવિદોનું કહેવું છે કે બંધારણીય સંસ્થાઓનું ચિત્રણ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. નવા શૈક્ષણિક સત્ર માટે હવે NCERT સુધારેલ અભ્યાસક્રમ સાથે નવું પુસ્તક બહાર પાડશે. કાઉન્સિલે થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને તમામ સ્ટેકહોલ્ડર્સને સહકાર આપવા અપીલ કરી છે.