વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, NEET-UGની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 

સોમવાર. 

સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની અરજી ફગાવતા 12 સપ્ટેમ્બરે થયેલી પરીક્ષાને માન્ય રાખી છે. 

સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો અને પેપર સોલ્યુશન કરનાર ગિરોહની સીબીઆઈ તપાસની માંગ પણ ફગાવી દીધી છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે એવું જણાવ્યું કે આ અરજી નકામી છે. કોર્ટે કહ્યું કે કેવા પ્રકારની અરજી દાખલ કરવામાં આવી છે. લાખો લોકોએ આ પરીક્ષા આપી છે.

સુપ્રીમે NEET-UGની પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કર્યો હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થઈ શકે છે. 

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More