Site icon News Continuous Bureau | Mumbai

NEET Paper Leak Protest|કૉકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક દિલ્હી પહોંચ્યા, આપ્યું મોટું નિવેદન

NEET Paper Leak Protest|નીટ (NEET) પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; સુરક્ષા માટે ૧,૦૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત.

NEET Paper Leak Protest|કૉકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક દિલ્હી પહોંચ્યા, આપ્યું મોટું નિવેદન

NEET Paper Leak Protest|કૉકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક દિલ્હી પહોંચ્યા, આપ્યું મોટું નિવેદન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

NEET Paper Leak Protest| મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે (૬ જૂન ૨૦૨૬) એક મોટા આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી ‘કૉકરોચ જનતા પાર્ટી’ ના (CJP) ફાઉન્ડર અભિજીત દીપકે શનિવારે વહેલી સવારે અમેરિકાથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા છે. આ હાઇપ્રોફાઇલ વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસે નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં સુરક્ષાની અભૂતપૂર્વ અને લોખંડી વ્યવસ્થા ગોઠવી દીધી છે.

શિક્ષણ સુધારક સોનમ વાંગચુક પણ આંદોલનમાં જોડાશે

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ અભિજીત દીપકેએ સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ ૬ જૂને ભારત પરત ફરીને નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિરૂદ્ધ શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે. આ આંદોલનને દેશના જાણીતા શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું પણ સમર્થન મળ્યું છે. સોનમ વાંગચુકે અગાઉ જાહેરાત કરી હતી કે જો ૫ જૂન સુધીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, તો તેઓ પોતે પણ ૬ જૂનથી જંતર-મંતર પર શરૂ થનારા આ વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લેશે.

દિલ્હી પોલીસે સેન્ટ્રલ દિલ્હીને ૧૨ ઝોનમાં વહેંચ્યું

બીજી તરફ, દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ દિલ્હીને કુલ ૧૨ ઝોનમાં વહેંચી દીધું છે અને દરેક ઝોનની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ડીસીપી (DCP) રેન્કના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વીવીઆઈપી (VVIP) મંત્રીઓના નિવાસસ્થાન બહાર સશસ્ત્ર દળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે કૉકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર-મંતર પર પ્રદર્શન કરવા માટે અત્યાર સુધી કોઈ સત્તાવાર પરમિશન (મંજૂરી) લેવામાં આવી નથી. તેમ છતાં, હજારો વિદ્યાર્થીઓ એકઠા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ૧,૦૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે અને ટ્રાફિક ડાયવર્ઝનની તૈયારીઓ રાખવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં.

👉 આ સમાચાર વાચો:
E85 Flex Fuel Launch|વાહન ચાલકો માટે લોટરી! પેટ્રોલ કરતાં ૨૦ સસ્તા ભાવે વેચાશે આ નવું ઇંધણ, જાણો તમારા શહેરમાં ક્યાં મળશે?

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version