Site icon News Continuous Bureau | Mumbai

Netaji birth anniversary: PM નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે

Netaji birth anniversary: મુલાકાતીઓને આર્કાઇવ્સના પ્રદર્શનો દ્વારા નિમજ્જન અનુભવ સાથે જોડાવાની તક મળશે, જેમાં દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે, જે નેતાજી અને આઝાદ હિન્દ ફૌજની નોંધપાત્ર સફરને વર્ણવે છે. આ ઉજવણી 31 જાન્યુઆરી સુધી ચાલશે.

Netaji birth anniversary PM Modi to attend ‘Parakram Diwas’ at Red Fort today

Netaji birth anniversary PM Modi to attend ‘Parakram Diwas’ at Red Fort today

News Continuous Bureau | Mumbai 

Netaji birth anniversary:

Join Our WhatsApp Channel

સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે સન્માન આપવા માટે પગલાં લેવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને 2021માં પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે લાલ કિલ્લા પર આયોજિત આ કાર્યક્રમ એતિહાસિક પ્રતિબિંબ અને જીવંત સાંસ્કૃતિક અભિવ્યક્તિઓને એકીકૃત વણાટતી બહુમુખી ઉજવણી હશે. આ પ્રવૃત્તિઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના ગહન વારસોની શોધ કરશે. મુલાકાતીઓને આર્કાઇવ્સના પ્રદર્શનો દ્વારા નિમજ્જન અનુભવ સાથે જોડાવાની તક મળશે, જેમાં દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે, જે નેતાજી અને આઝાદ હિન્દ ફૌજની નોંધપાત્ર સફરને વર્ણવે છે. આ ઉજવણી 31 જાન્યુઆરી સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : PM Suryoday Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, દેશભરમાં શરૂ થશે આ યોજના, એક કરોડ લોકોને મળશે ફાયદો..

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 23થી 31 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારા ભારત પર્વનો પણ શુભારંભ કરશે. તે પ્રજાસત્તાક દિનના ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે, જેમાં 26 મંત્રાલયો અને વિભાગોના પ્રયાસો દર્શાવવામાં આવશે, જેમાં નાગરિક કેન્દ્રિત પહેલો પર પ્રકાશ પાડવામાં આવશે, સ્થાનિક, વિવિધ પ્રવાસન આકર્ષણો માટે અવાજ ઉઠાવવામાં આવશે.  લાલ કિલ્લાની સામે રામ લીલા મેદાન અને માધવદાસ પાર્કમાં થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

El Nino Impact અલ નિનોની ભારતીય ચોમાસા પર કેવી અસર પડે છે? ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ પાછળનું મોટું કારણ
JPSC Exam જેપીએસસી વિવાદે પકડ્યું જોર હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પરીક્ષાનું ભવિષ્ય, સીબીઆઈ તપાસની માંગ
Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
US Iran War શું થવા જઈ રહી છે યુદ્ધની પૂર્ણાહુતિ? અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે જનરલ ડેન કેનની સિક્રેટ મીટિંગ
Exit mobile version