Site icon

દેશના બીજા સીડીએસ તરીકે નરવણે સિવાય આ વ્યક્તિનું નામ મોખરે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

બિપિન રાવતના નિધન બાદ દેશના નવા CDSની નિમણૂકને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. રેસમાં નેવી ચીફ આર હરિકુમાર અને આર્મી ચીફ એમએમ નરવણે આગળ છે. મીડિયા રિપોર્ટ્‌સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નેવી ચીફ આર હરિ કુમારનો દાવો સૌથી મજબૂત લાગે છે. તેની પાછળનું કારણ એ છે કે ગત વખતે સીડીએસ સેનામાંથી જ બનાવવામાં આવ્યા હતા. તેથી આ વખતે સેનામાંથી બને તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં નવા સીડીએસની નિમણૂક નૌકાદળ અથવા વાયુસેનામાંથી થવાની શક્યતા વધુ છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે આર હરિ કુમાર નેવી ચીફ બનતા પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત સાથે ડેપ્યુટી સીડીએસ તરીકે કામ કરી ચૂક્યા છે. આ સ્થિતિમાં આ અનુભવ તેમના માટે પણ ઉપયોગી થઈ શકે છે. ૫૯ વર્ષીય હરિ કુમાર તાજેતરમાં નેવી ચીફ બન્યા છે અને તેઓ ૬૨ વર્ષની ઉંમર સુધી સેવા આપી શકે છે. સીડીએસ ૬૩ વર્ષ માટે પોસ્ટ કરી શકાય છે. આ સ્થિતિમાં જ્યારે સીડીએસ બનાવવામાં આવશે ત્યારે તેમને પૂરતો સમય મળશે. આ સિવાય આર્મી ચીફ જનરલ નરવણેની ઉંમર ૬૧ વર્ષ છે. તેઓ આવતા વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. તેથી જ તેઓ સીડીએસની રેસમાં મુખ્ય દાવેદાર પણ માનવામાં આવે છે. જાે જનરલ નરવણેને સીડીએસ બનાવવામાં આવે છે, તો તેઓ લગભગ એક વર્ષ સુધી આ પદ પર કામ કરી શકે છે. આ સિવાય એરફોર્સ ચીફ વીઆર ચૌધરીને પણ સીડીએસ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર ટૂંક સમયમાં સીડીએસ અંગે ર્નિણય લઈ શકે છે. કારણ કે આ પોસ્ટને લાંબા સમય સુધી ખાલી રાખી શકાય નહીં. ડેપ્યુટી સીડીએસ તરીકે કાર્યરત એર માર્શલ બી. આર કૃષ્ણાને પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ઝ્રડ્ઢજી બનવા માટે ૪ સ્ટાર જનરલ હોવું જરૂરી છે. જે ત્રણેય સેનાના વડા હોય છે. ઉપરાંત, જે અધિકારી ૪ સ્ટાર જનરલ બનવા માટે લાયક છે તેની નિમણૂક માટે પણ વિચારણા કરી શકાય છે.ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અકાળે અવસાન થયું છે. તેમનું હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. તેમાં ૧૪ લોકો હતા જેમાંથી ૧૩ના મોત થયા હતા. જેમાં બિપિન રાવતની પત્નીનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર વ્યક્તિ છે જે આ અકસ્માતમાં બચી ગયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

મુંબઈમાં ઓમીક્રોન વાયરસના વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યા. કુલ સંખ્યા પાંચ થઈ. મહાનગરપાલિકા ચિંતીત.

LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
Exit mobile version