New Delhi: મોદીના કાયમી ટીકાકાર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદે મોદીની મદદ માંગી. કહ્યું મુસ્લીમ દેશો નથી કરી શક્યા હવે તમેજ કરી શકો છો આ કામ

New Delhi: પેલેસ્ટિનિયન મુદ્દો હાલ એવા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ ઉકેલવાની જરૂર છે.

by Bipin Mewada
New Delhi Muslim countries failed to resolve the Israel-Palestine war.. Now only Prime Minister Modi can end this war ahmed bukhari

 News Continuous Bureau | Mumbai  

New Delhi: દિલ્હીની ( Delhi  ) જામા મસ્જિદના ( jama masjid ) શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ ( Ahmed Bukhari ) શુક્રવારે કહ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં ( Israel-Palestine conflict ) મુસ્લિમ દેશો ( Muslim countries ) તેમની જવાબદારીઓ નિભાવી શક્યા નથી. અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) પણ આ મામલે વિનંતી કરી હતી કે તેઓ ઇઝરાયેલ પર રાજદ્વારી દબાણ ( diplomatic pressure ) લાવે અને યુદ્ધ ખતમ કરે. મિડીયા રિપોર્ટ અનુસાર આ યુદ્ધમાં (  Israel-Palestine War )  પહેલાથી જ 21,300 થી વધુ પેલેસ્ટિનિયનો ( Palestinians ) માર્યા ગયા છે, આ યુદ્ધે બીજી માનવતાવાદી કટોકટી સર્જી છે.

બુખારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયન મુદ્દો હાલ એવા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ ઉકેલવાની જરૂર છે.

મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી: બુખારી..

અહેમદ બુખારીએ વધુમાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી અને જે પગલાં લેવા જોઈએ તે નથી લઈ રહ્યા નથી અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અંતે, હું આશા રાખું છું કે મારા ભારત દેશના વડા પ્રધાન આ યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી દબાણ લાગુ કરશે અને ઇઝરાયેલના વડા પ્રધાન સાથેના તેમના અંગત સંબંધોના આધારે આ મુદ્દાઓને ઉકેલ વાવશે.

આ સમાચાર પણ વાંચો : Mohan Bhagwat: ભારત કે પછી ઇન્ડિયા? મોહન ભાગવતની દલીલ અને અપીલ. સંધનો નિર્ણય સ્પષ્ટ છે.

એક મિડીયા અહેવાલ અનુસાર, ભારતે આ મહિનાની શરૂઆતમાં યુએન જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરતા ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, આ હુમલામાં લડવૈયાઓએ લગભગ 1200 ઈઝરાયેલના લોકોને મારી નાખ્યા હતા. આ સિવાય 240 લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા મૃતદેહો પણ મળી આવ્યા છે. આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. એમ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More