Site icon News Continuous Bureau | Mumbai

NITI Aayog Meeting: મમતા બેનર્જી અધવચ્ચે જ નીતિ આયોગની મીટિંગમાંથી નીકળી ગયા, મોદી સરકાર પર લગાવ્યા આ આક્ષેપ..

NITI Aayog Meeting: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી પરંતુ બેઠકની મધ્યમાં ગુસ્સાથી બહાર નીકળી ગયા હતા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે અન્ય મુખ્યમંત્રીઓને 15-20 મિનિટ બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ 5 મિનિટમાં જ તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું

NITI Aayog Meeting Mamata Banerjee leaves NITI Aayog meet midway, alleges 'mic was muted'

NITI Aayog Meeting Mamata Banerjee leaves NITI Aayog meet midway, alleges 'mic was muted'

 News Continuous Bureau | Mumbai

NITI Aayog Meeting: હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગ ( NITI Aayog Meet ) ની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ( West Bengal CM ) ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( Mamata Banerjee ) એ પણ ભાગ લીધો હતો. જોકે હવે અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતા દીદી એ  કહ્યું કે તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ ( oppose )  વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવી નહીં. આ કેવી રીતે ચાલે?

Join Our WhatsApp Channel

NITI Aayog Meeting: કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે – મમતા

વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવી ન હતી. અન્ય મુખ્યમંત્રીઓને 15-20 મિનિટ બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ 5 મિનિટમાં જ તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.

NITI Aayog Meeting: ‘ભારત’ ગઠબંધનના મુખ્યમંત્રીઓ બેઠકમાંથી દૂર રહ્યા

મહત્વનું છે કે ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Kupwara Encounter: આજે ફરી કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ; 3 જવાન ઘાયલ; આટલા આતંકી ઠાર.

NITI Aayog Meeting: મમતા બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા

જોકે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓનો અવાજ એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. આ સાથે મમતા બેનર્જીએ માંગ કરી હતી કે નીતિ આયોગને નાબૂદ કરવામાં આવે અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવામાં આવે.

Strait of Hormuz Attack યુદ્ધના ભણકારા! ઈરાની મિસાઈલ હુમલા બાદ ભારતનું કડક વલણ, ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યું.
E20 Fuel Strategy ઇથેનોલ મિશ્રિત ઈંધણ મુદ્દે સરકારનો બચાવ, ₹1 લાખ કરોડનું રોકાણ દાવ પર, શા માટે છે આ બદલાવ જરૂરી?
India Monsoon Sowing Impact કુદરતની અજીબ રમત! દેશના ૩૭૨ જિલ્લામાં એલર્ટ છતાં ખરીફ પાક માટે પાણીની તંગી.
Iran Attack UAE Oil Tanker યુદ્ધની આગમાં ભારતીયનું બલિદાન, હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના ઓઈલ ટેન્કર પર હુમલો, એક ભારતીયનું મોત.
Exit mobile version