NITI Aayog report: મોદી સરકારના 9 વર્ષ દરમિયાન દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યાં- Niti Ayog રિપોર્ટ

NITI Aayog report: પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે

by kalpana Verat
24.82 Crore Indians Escape Multidimensional Poverty In Last 9 Years Niti Aayog

News Continuous Bureau | Mumbai

NITI Aayog report: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ આજે સર્વાંગી વિકાસ તરફ કામ કરવાનું ચાલુ રાખવા અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓ આજે નીતિ આયોગ દ્વારા બહુપરીમાણીય ગરીબી પર બહાર પાડવામાં આવેલ ચર્ચા પત્ર પર ટિપ્પણી કરી રહ્યા હતા. પેપર કહે છે કે, 2005-06થી, ભારતે #MPIમાં 2013-14માં 29.17%થી 2022-23માં 11.28%નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે જે 17.89%નો ઘટાડો છે. પરિણામે છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા.

આ સમાચાર પણ વાંચો :  IndiGo Flight Passengers: ઈન્ડિગોના મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને લીધું ભોજન, હવે કેન્દ્રએ એરલાઇન અને એરપોર્ટ સામે કરી આ કાર્યવાહી..

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

“ખૂબ જ પ્રોત્સાહક, સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે સર્વાંગી વિકાસ અને દરેક ભારતીય ( Indians ) માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More