Site icon

ભાજપના દિગ્ગજ નેતાએ કબૂલ્યું કે કોરોના ની લહેર કેટલી મોટી છે તે કોઈને ખબર નથી. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
    કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી નાગપુર ખાતે આવેલી નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના covid સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કરોના ની બીજી લહેર અંગે લોકોને ચેતવણી આપી હતી.


   covid સેન્ટરના લોકાર્પણ બાદ તેમણે કહ્યું હતું કે,ઘરે ઘરે કોરોના નો સંક્રમણ ફેલાયું છે અને આવનારા પંદર દિવસ કે એક મહિનામાં કેવી સ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે. આ વાયરસ હજી કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી તેની અસર ચાલુ રહેશે તેની કોઇ ગેરંટી નથી. લોકો જ્યારે સર્વશ્રેષ્ઠ સ્થિતિ અંગે વિચાર કરે છે, ત્યારે તેમણે સૌથી ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આ મહામારી સામે લડવા માટે આપણને લોંગ ટર્મ પ્લાનની જરૂર છે.
   ઉલ્લેખનીય છે કે, દેશમાં ઉદ્ભવેલ રેમડેસિવિર ઇન્જેક્શન ની ઉણપ અંગે ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 8 કંપનીઓને આ ઇન્જેક્શનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી દીધી છે. તેથી ઇન્જેક્શનોની અછતની સ્થિતિનું નિરાકરણ આવી જશે.

Join Our WhatsApp Community
Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version