Site icon News Continuous Bureau | Mumbai

અરેરેરે!! ભારતીય રેલવેએ સિનિયર સિટિઝનો માટે આ સુવિધા બંધ કરી, હવે ચૂકવવું પડશે પૂરું ભાડું.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સિનિયર સિટીઝન માટે ખરાબ સમાચાર છે. રેલવે દ્વારા સિનિયર સિટીઝનોને રેલવેની ટિકિટમાં હવેથી વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટઝનોને રેલવેના ભાડામાં વધારાની છૂટની સુવિધા હાલ આપવામાં આવવાની નથી.

Join Our WhatsApp Channel

કોરોના મહામારી 2020માં ચાલુ થયા બાદ રેલવે તેની અનેક સેવા બંધ કરી હતી. હવે ધીમે ધીમે ફરી સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે. પરંતુ સિનિયર સિટિઝન માટે ઉપલબ્ધ વધારાની ડિસ્કાઉન્ટની સુવિધા હજી સુધી ચાલુ કરવામાં આવી નથી. બુધવારે સંસદમાં રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાલ સિનિયર સિટઝનોને વધારાનું ડિસ્કાઉન્ટ આપવાની નથી. 
લોકડાઉન પછી રેલવે ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે માત્ર ત્રણ શ્રેણીના લોકોને જ ટ્રેનની ટિકિટમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિકલાંગ, વિદ્યાર્થીઓ અને 11 ગંભીર રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિત એવા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ભાજપે ફિલ્મની ટિકિટ મોકલાવી. હવે બન્યો ચર્ચાનો વિષય. જાણો વિગતે. 

રેલવેના કહેવા મુજબ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં રેલવેને ભારે નુકસાન થયું છે. તેથી આવી પરિસ્થિતિમાં સિનિયર સિટિઝનોને ડિસ્કાઉન્ટ આપીને વધુ નુકસાન સહન કરી શકાય નહીં.

Rahul Gandhi On PM Modi। શું સોનું ખરીદવું હવે જોખમી છે? પીએમ મોદીની અપીલ બાદ રાહુલ ગાંધી લાલચોળ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેડાયું ‘ગોલ્ડ વૉર’
Chaibasa Land Dispute Attack। ઝારખંડમાં જમીન વિવાદે લીધું હિંસક સ્વરૂપ, ૨૦ તીર મારીને શખ્સને લોહીલુહાણ કર્યો; હાથમાંથી આરપાર નીકળ્યું તીર, જાણો હાલની સ્થિતિ
Suvendu Adhikari Alipore Residence। બંગાળમાં સત્તાની સાથે સરનામું પણ બદલાયું શુભેન્દુ અધિકારીએ પરંપરા તોડી, જાણો કેમ ‘સૌજન્ય’ ગેસ્ટ હાઉસને પસંદ કર્યું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન
PM Modi WFH Model 2026। PM મોદીનું નવું અભિયાન પેટ્રોલડીઝલ બચાવવા માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા અપીલ, જાણો દેશને શું થશે ફાયદો
Exit mobile version