Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિરની આસપાસના આટલા વિસ્તારમાં નહિ કરી શકાય કોઈ પણ બંધકામ; સુરક્ષાની દૃષ્ટિએ લેવાયો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગત

Ram Mandir : Ram Mandir Inauguration Date and Ayodhya Hotel Booking Full

Ram Mandir : Ram Mandir Inauguration Date and Ayodhya Hotel Booking Full

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

રામનગરી અયોધ્યામાં ભગવાન રામના મંદિરની આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં, આ માટે ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યાં છે. રામ મંદિરની આસપાસના 300 મીટર સુધીના વિસ્તારમાં ઇમારતના બાંધકામ માટે જિલ્લા અધિકારી પાસેથી NOC લેવી પડશે. રામ મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા સમિતિની વિનંતી પર આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ યોજનાના અમલ માટે વિકાસ ઑથૉરિટીએ એક સમિતિની પણ રચના કરી છે.

વિકાસ ઑથૉરિટીના સેક્રેટરી આર.પી.સિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કેરામ મંદિર સંકુલને સુરક્ષિત કરવા માટે, સુરક્ષા સમિતિના વહીવટી તંત્ર દ્વારા રામ જન્મભૂમિની આજુબાજુના વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધિત આદેશો લાગુ કરવાની વિનંતી કરવામાં આવી છે. સમિતિમાં સુરક્ષા વિભાગ, ફરિયાદી વિભાગ અને શહેરની કચેરીના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ સંકુલથી 100 મીટરના અંતર સુધીના ધોરણ મુજબ કોઈ નવું બાંધકામ થઈ શકશે નહીં. નિર્માણ થઈ ચૂકેલા મકાનોના બ્યુટિફિકેશનનું કામ થઈ શકે છે, પરંતુ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજૂરી લીધા બાદ નવીનીકરણનું કામ થઈ શકે છે.

દિગ્વિજય સિંહે મોહન ભાગવતના આ નિવેદનની ઠેકડી ઉડાવી; કહ્યું :મોહન ભાગવત અને ઔવેસીનું DNA એક, જાણો વિગત

બિલ્ડિંગ 300 મીટરના ક્ષેત્રમાં સાડાબાર મીટરથી વધુ ઊંચી ઇમારત બાંધી શકાશે નહિ. બહુમાળી ઇમારતો બનાવવામાં આવશે નહીં. મકાન બનાવતાં પહેલાં નકશો વિકાસ અધિકારી પાસેથી પાસ કરાવવો પડશે અને NOC મેળવવી પડશે.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version