ભારતીય રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ મફત સુવિધા, સરકારે આપી માહિતી ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

શુક્રવાર

દેશમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી ફ્રી વાઇ-ફાઇ સુવિધા બંધ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઊંચા ખર્ચ અને તકનીકી કારણોસર આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય રીતે પોશાય શકે તેમ નથી. 

આ ઉપરાંત મુસાફરોને પણ પુરતી સ્પીડ સાથેની વાઇફાઇ સુવિધા મળતી ન હતી. તેથી સરકારે હાલ તુરંત આ યોજના બંધ કરી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય રેલવે દેશભરમાં 6000 થી વધુ સ્ટેશનો પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે. 

મોટા સમાચાર : દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ 'ખેલરત્ન'નું નામ બદલાયું, હવે રાજીવ ગાંધી નહિ પરંતુ આ નામે એવોર્ડ અપાશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More