નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મહત્વની જાહેરાત : હવે ઘરેલું વિમાન કંપનીઓ વધુમાં વધુ 60 ટકા યાત્રીઓ સાથે ઉડાન ભરી શકશે. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
05 નવેમ્બર 2020

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા મહિને મર્યાદિત સ્થાનિક ફ્લાઇટ ઓપરેશનને 45 ટકાથી વધારીને 60 ટકા કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ભારત સરકારે કહ્યું હતું કે ઘરેલું વિમાની કંપનીઓ આગામી વર્ષે 24 ફેબ્રુઆરી સુધી તેમની પૂર્વ-કોવિડ ફ્લાઇટ્સના 60 ટકા સંચાલન કરી શકે છે.

ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં દૈનિક કોવિડ -19 કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દૈનિક કેસ લોડમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે.. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં ચેપના 46,253 અને તાજા કેસો 38,310 નોંધાયા છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રિય લોકડાઉન વેળા કોવિડ -19 ના પ્રસારને રોકવાની જાહેરાત કર્યાના બે મહિના પછી સરકારે 25 મે થી ઘરેલું ઉડાન ફરી શરૂ કરી હતી. ત્યારે સામાજિક અંતરને અનુસરવામાં આવે તેની ખાતરી મળ્યાં બાદ 30 ટકા ક્ષમતા સાથે કેલિબ્રેટેડ રીતે કામગીરી શરૂ થઈ. જે ક્ષણતા હોવી વધારીને 60% કરવામાં આવી છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More