Site icon News Continuous Bureau | Mumbai

Vishva Hindu Parishad: હવે વિશ્વ હિન્દુ પરિષદના આટલા લાખથી વધુ કાર્યકર્તાઓ અને કારસેવકો અયોધ્યાના રામ મંદિરમાં દર્શન માટે જવા તૈયાર.

Vishva Hindu Parishad: રામ મંદિરના ઉદ્દઘાટન બાદ હજારો ભક્તોની ભીડ દરરોજ અયોધ્યામાં દર્શન માટે આવી રહી છે. ત્યારે હવે આ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને કારસેવકો પણ અયોધ્યા રામ મંદિરમાં રામલલાના દર્શન માટે જશે.

Now more than 1 lakh workers and karsevaks of Vishwa Hindu Parishad are ready to go to Ram temple in Ayodhya for darshan

Now more than 1 lakh workers and karsevaks of Vishwa Hindu Parishad are ready to go to Ram temple in Ayodhya for darshan

News Continuous Bureau | Mumbai 

Vishva Hindu Parishad: તાજેતરમાં, અયોધ્યામાં ( Ayodhya ) આયોજિત પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયોના 4000 સંતો અને મહંતો સાથે 3000 મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ સાથે દેશભરના 5 લાખથી વધુ મંદિરોના લગભગ 8 કરોડ લોકોએ આ અલૌકિક ઘટનાને લાઈવ પ્રસારણ મારફતે નિહાળ્યું છે. તો હવે આ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદના 1 લાખથી વધુ કાર્યકર્તાઓ અને કારસેવકો ( Karsevaks  ) અયોધ્યામાં દર્શન માટે જશે, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ એડવોકેટે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. 

Join Our WhatsApp Channel

પત્રકાર પરિષદમાં વિશ્વ હિન્દુ પરિષદના પશ્ચિમ મહારાષ્ટ્રના મંત્રી સંજય મુદ્રાલે, પ્રાંતીય સંયુક્ત મંત્રી એડવોકેટ, સ્ટેટ પબ્લિસિટી હેડ, એક્સટર્નલ કોઓર્ડિનેશન હેડ, વિશ્વ હિન્દુ પરિષદ એડવોકેટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતમાં રાષ્ટ્રીય એકતાની આવી ધાર્મિક ઘટના બની નથીઃ વિશ્વ હિન્દુ પરિષદ..

વિશ્વ હિન્દુ પરિષદ એડવોકેટે પત્રકરા પરિષદમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતમાં રાષ્ટ્રીય એકતાની આવી ધાર્મિક ઘટના બની નથી. વિશ્વના 55 દેશોના હિંદુઓએ ( Hindus ) પણ આ અવસરને પોતપોતાના દેશોમાં ખૂબ જ ઉત્સાહ સાથે, ભગવાન શ્રી રામમાં સંપૂર્ણ શ્રદ્ધા અને દેશભક્તિની તીવ્ર ભાવના સાથે આ પર્વ ઉજવ્યો હતો. તેથી વિશ્વ હિંદુ પરિષદ શ્રી રામ મંદિરના ( Ram Mandir ) નિર્માણ બાદ દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : IND vs ENG: ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટ માટે રાજકોટમાં 10 દિવસ, આ કાઠિયાવાડી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે..

એડવોકેટે વધુમાં કહ્યું હતું કે, ભગવાન શ્રી રામચંદ્રના રાજ્યમાં કોઈ લાચાર નહોતું, કોઈ નિર્બળ નહોતું. દરેકના અભિપ્રાયને સમાન રીતે માન આપવામાં આવતું હતું. માતા શબરી અને માતા અહિલ્યાની જેમ આપણે પણ દરેક સ્ત્રીનું સન્માન અને આદર કરવો જોઈએ. દુનિયામાં આતંક મચાવનારા રાક્ષસોનો નાશ થવો જોઈએ.

તેમજ વિશ્વ હિન્દુ પરિષદના 1 લાખથી વધુ કાર્યકર્તાઓ અને કારસેવકો 23 ફેબ્રુઆરી સુધીમાં અયોધ્યા જશે અને આજે પૂણેથી પણ લગભગ 2000 કાર્યકરો અને કારસેવકો અયોધ્યા દર્શન માટે જવાના છે, એમ સંજય મુદ્રાલે જણાવ્યું હતું.

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version