Site icon

Nuh Violence Effect: હરિયાણાની 50 પંચાયતોએ મુસ્લિમોના બહિષ્કારની કરી જાહેરાત.. પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો….

Nuh Violence Effect: ત્રણ જિલ્લાઓ - રેવાડી , મહેન્દ્રગઢ અને ઝજ્જરની 50 થી વધુ પંચાયતોએ છેલ્લા કેટલાક દિવસોમાં પત્રો બહાર પાડ્યા છે, જે તમામ સમાન શબ્દોમાં છે. મુસ્લિમ વેપારીઓનો પ્રવેશ નિષેધ. સરપંચો દ્વારા સહી કરાયેલા પત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં રહેતા મુસ્લિમોએ પોલીસને તેમના ઓળખ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે.

Nuh Violence Effect: 50 panchayats in 3 Haryana districts issue letters barring entry of Muslim traders

Nuh Violence Effect: 50 panchayats in 3 Haryana districts issue letters barring entry of Muslim traders

News Continuous Bureau | Mumbai

Nuh Violence Effect: હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા પછી ત્રણ જિલ્લાઓ – રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરમાં 50થી વધુ પંચાયતોએ મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. જો કે હવે હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા બાદ હવે વાતાવરણ શાંત થવા લાગ્યું છે. પરંતુ પંચાયતોના આવા આદેશ જારી કર્યા પછી તણાવ વધી શકે છે. સરપંચોની સહીવાળા આ પત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં રહેતા મુસ્લિમોએ પોલીસને તેમની ઓળખ સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

Join Our WhatsApp Community

ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગના ગામોમાં લઘુમતી સમુદાયના કોઈ રહેવાસી નથી. થોડાક જ પરિવારો એવા છે જેઓ અહીં ત્રણ-ચાર પેઢીઓથી રહે છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘અમારો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.’ નારનૌલ (મહેન્દ્રગઢ) ના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનોજ કુમારે જણાવ્યું હતું કે તેમને પત્રોની ભૌતિક નકલો મળી નથી, પરંતુ તેમને સોશિયલ મીડિયા પર જોયા છે અને બ્લોક ઓફિસે તમામ પંચાયતોને કારણ બતાવો નોટિસ મોકલ્યો છે.
કુમારે કહ્યું કે આવા પત્રો જારી કરવા એ કાયદાની વિરુદ્ધ છે. જો કે અમને પંચાયતો તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી. મને તેમના વિશે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી હતી. આ ગામોમાં લઘુમતી સમુદાયની વસ્તી બે ટકા પણ નથી. દરેક વ્યક્તિ સુમેળમાં રહે છે અને આ પ્રકારની સૂચના ફક્ત તેને અવરોધશે છે બીજુ કંઈ નહી.

આ સમાચાર પણ વાંચો : Makhana-Mungfali Chaat: મસાલેદાર નાસ્તો ખાવાની ઈચ્છા થાય છે? તો ઘરે બનાવો હેલ્ધી અને ટેસ્ટી મખાના પીનટ ચાટ

ધર્મના આધારે સમુદાયને અલગ પાડવો કાયદાની વિરુદ્ધ છે

આ અંગે મહેન્દ્રગઢના સરપંચ વિકાસે કહ્યું, ‘બધી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ત્યારે જ બનવા લાગી જ્યારે બહારના લોકો અમારા ગામોમાં પ્રવેશવા લાગ્યા. નૂહ અથડામણ પછી તરત જ, અમે 1 ઓગસ્ટના રોજ એક પંચાયત યોજી અને અમારા ગામોમાં શાંતિ જાળવવા માટે તેમને પરવાનગી ન આપવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે તેમના કાનૂની સલાહકારે તેમને કહ્યું કે ધર્મના આધારે સમુદાયને અલગ પાડવો કાયદાની વિરુદ્ધ છે. તે પછી તેમણે પત્ર પાછો ખેંચી લીધો હતો. જો કે તેમણે કહ્યું, ‘મને ખબર નથી કે આ પત્ર સોશિયલ મીડિયા પર કેવી રીતે ફરવા લાગ્યો. અમે તેને પાછો ખેંચ્યો છે.’

વિકાસના જણાવ્યા મુજબ, સૈયદપુર પત્ર જારી કરનાર પ્રથમ ગામ હતું અને અન્ય લોકોએ તેનું અનુકરણ કર્યું. તેમણે કહ્યું, ‘મહેન્દરગઢના અટાલી બ્લોકમાંથી લગભગ 35 પત્રો જારી કરવામાં આવ્યા હતા. બાકીના ઝજ્જર અને રેવાડીથી જારી કરવામાં આવ્યા હતા.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version