Site icon

Nuh Violence: બજરંગ દળ અને VHPની રેલીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે દિલ્હી-યુપી-હરિયાણાને મોકલી નોટિસ..

Nuh Violence: સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની સામે અરજીકર્તાએ દિલ્હી-એનસીઆરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

Nuh Violence: Ensure no hate speech in rallies, SC tells authorities as Bajrang Dal, VHP protest in Delhi

Nuh Violence: Ensure no hate speech in rallies, SC tells authorities as Bajrang Dal, VHP protest in Delhi

News Continuous Bureau | Mumbai

Nuh Violence: નૂહ હિંસા બાદ બજરંગ દળ અને વીએચપીની રેલીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ સીયુ સિંઘે ચીફ જસ્ટિસ (CJI) સમક્ષ દિલ્હી-NCRમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા અને યુપીને નોટિસ મોકલી છે.

Join Our WhatsApp Community

મુખ્ય ન્યાયાધીશે વકીલને પૂછ્યું, તમારી શું માંગ છે? સીયુ સિંહે કહ્યું કે અગાઉ ઉશ્કેરણીજનક કાર્યક્રમો રોકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં 23 કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે અને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.

ત્રણ રાજ્યોને નોટિસ

જ્યારે કોર્ટ તરફથી આ કાર્યક્રમો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે તેને પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. કેટલીક રેલી સવારે થઈ ગઈ છે, કેટલીક બાકી છે. આના પર સુપ્રીમ કોર્ટે યુપી, હરિયાણા અને દિલ્હીને નોટિસ જારી કરીને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈ ભડકાઉ ભાષણો ન થાય અને તે કાર્યક્રમોને કારણે હિંસા ન ફેલાય. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે (4 ઓગસ્ટ) થશે.

આ સમાચાર પણ વાંચો : Mutual Fund SIP: 40 વર્ષની ઉંમરે રિટાયર થશો… ખિસ્સામાં હશે 10 કરોડ… આ છે 15x15x15 ફોર્મ્યુલાની અજાયબી! જાણો સંપુર્ણ વિગત અહીં..

પહેલા બીજી કોર્ટમાં વકીલ ગયા

બુધવારે, વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંઘે અગાઉ જસ્ટિસ અનિરુદ્ધ બોઝની કોર્ટમાં પેન્ડિંગ રિટ અરજીમાં ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન (IA) આપી હતી. તેણે કોર્ટને કહ્યું કે નૂહ હિંસાનો વિરોધ કરવા માટે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 27 સ્થળોએ માર્ચની જાહેરાત કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ બોઝે સિંઘને એ વાતની પુષ્ટિ કરવા કહ્યું કે શું તેમની પાસે IA ની યાદી માટેનો ઉલ્લેખ સાંભળવાનો અધિકાર છે.

ત્યારબાદ સીયુ સિંહ ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ હાજર થયા હતા. જો કે ત્યારબાદ ચીફ જસ્ટિસે આ મામલે સીધી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે પ્રક્રિયા અનુસાર રજિસ્ટ્રીને ઈમેલ મોકલો. આ પછી સુનાવણી પર વિચાર કરવામાં આવશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version