Site icon

શાહીનબાગના પ્રદર્શનકારીઓએ જાહેર રસ્તા પર કરેલું અતિક્રમણ ગેરકાયદેસર..જાણો સુપ્રીમ કોર્ટએ સરકારને પણ કેમ લગાવી ફટકાર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020

શાહીનબાગ પ્રદર્શન તરીકે બહુ ચર્ચિત ઘટનામાં સુપ્રીમ કોર્ટએ સુપ્રીમ ચુકાદો આપી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કોઈ પણ જાહેર સ્થળ પર આ રીતે અતિક્રમણ કરવું ગેરકાયદેસર છે. રોડ રસ્તાનો આ પ્રકારે ઉપયોગ ના કરી શકાય, જેને કારણે અચોક્કસ મુદ્દત માટે રસ્તાને બંધ કરવાની ફરજ પડે. શાહીનબાગ પ્રકારના કેસમાં સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી તાકીદ કરી છે..

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણમાં વિરોધ કરવાનો બધાને અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ અલગથી જગ્યા હોવી જોઈએ. સમાન્ય લોકોને વિરોધ પ્રદર્શનના કારણે હાલાકી ના થવી જોઈએ. કોર્ટે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય અને જો, આવી સ્થિતિ સર્જાય તો એડમિનિસ્ટ્રેશને ખુદ જ કાર્યવાહી કરવી જોઈએ. કોઈએ કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ નહિ. કેમકે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના પ્રોપોગેન્ડા મારફતે સ્થિતિ વધારે ખરાબ થવાનો ખતરો રહે છે..

વાસ્તવમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા પ્રદર્શનને (CAA Protest) લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી. કેમકે, સુપ્રીમ કોર્ટના આદેશ છત્તાં 100 દિવસો સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું અને રોજ હજારો લોકોએ હાલાંકી ભોગવવી પડી હતી. આથી સુપ્રીમ કોર્ટે આ મામલે ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ. એવી અપીલ અરજી કર્તાએ કરી હતી…

Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
PM Modi Chairs CCS Meeting: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Exit mobile version