Site icon News Continuous Bureau | Mumbai

શાહીનબાગના પ્રદર્શનકારીઓએ જાહેર રસ્તા પર કરેલું અતિક્રમણ ગેરકાયદેસર..જાણો સુપ્રીમ કોર્ટએ સરકારને પણ કેમ લગાવી ફટકાર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020

શાહીનબાગ પ્રદર્શન તરીકે બહુ ચર્ચિત ઘટનામાં સુપ્રીમ કોર્ટએ સુપ્રીમ ચુકાદો આપી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કોઈ પણ જાહેર સ્થળ પર આ રીતે અતિક્રમણ કરવું ગેરકાયદેસર છે. રોડ રસ્તાનો આ પ્રકારે ઉપયોગ ના કરી શકાય, જેને કારણે અચોક્કસ મુદ્દત માટે રસ્તાને બંધ કરવાની ફરજ પડે. શાહીનબાગ પ્રકારના કેસમાં સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી તાકીદ કરી છે..

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણમાં વિરોધ કરવાનો બધાને અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ અલગથી જગ્યા હોવી જોઈએ. સમાન્ય લોકોને વિરોધ પ્રદર્શનના કારણે હાલાકી ના થવી જોઈએ. કોર્ટે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય અને જો, આવી સ્થિતિ સર્જાય તો એડમિનિસ્ટ્રેશને ખુદ જ કાર્યવાહી કરવી જોઈએ. કોઈએ કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ નહિ. કેમકે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના પ્રોપોગેન્ડા મારફતે સ્થિતિ વધારે ખરાબ થવાનો ખતરો રહે છે..

વાસ્તવમાં દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા પ્રદર્શનને (CAA Protest) લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી. કેમકે, સુપ્રીમ કોર્ટના આદેશ છત્તાં 100 દિવસો સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું અને રોજ હજારો લોકોએ હાલાંકી ભોગવવી પડી હતી. આથી સુપ્રીમ કોર્ટે આ મામલે ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ. એવી અપીલ અરજી કર્તાએ કરી હતી…

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version