Odisha train accident : પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, દુર્ઘટનાની જાત માહિતી લેશે.. મોતનો આંકડો વધ્યો.. જાણો અપડેટ્સ..

ગઇકાલે એટલે કે શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસના છથી સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અન્ય ટ્રેક પર આવતી ટ્રેન સાથે અથડાઈ હતી. અપડેટ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત નીપજ્યાં છે. સત્તાવાર આંકડાઓમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

by kalpana Verat
Odisha Train Accident PM Modi Arrives At Train Accident Site In Odisha`s Balasore

 News Continuous Bureau | Mumbai

આ અકસ્માત બહંગા બજાર સ્ટેશન પર સાંજે 7.20 વાગ્યે થયો જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીક શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને રેલવે મંત્રી પણ તેમની સાથે છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ઘટનાની જાણકારી લીધી. આ પછી, તેમણે સ્થળ પર અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી લીધી. 

તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી હતી. આ પહેલા વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન રાહત ફંડમાંથી મદદની જાહેરાત પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ‘કચરાથી કંચન – જડેશ્વર વન એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું હરિયાળું ફેફસુ’.. જાણો ખાસ વિશેષતાઓ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More