ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને જે રાજ્યોમાં ખતરો વધારે દેખાઈ રહ્યો તે રાજ્યોની કમાન પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે 10 રાજ્યોમાં બહુ-શિસ્ત ટીમો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જેથી કોરોનાને વધતો અટકાવી શકાય.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર જે રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અથવા રસીકરણ દર ઓછો છે, ત્યાં કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવશે.
આ ટીમો આગામી ત્રણથી પાંચ દિવસ સુધી રાજ્યોમાં તૈનાત રહેશે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.
આ ટીમો દરરોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વિસ્તારની પરિસ્થિતિની જાણ કરશે.
રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ સાથે, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
