કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમીક્રોન’ને લઈને આવી રાહતની ખબર, ICMRની એક્સપર્ટ પેનલે કર્યો આ દાવો; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

શનિવાર.

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેટલાક કેસ સામે આવ્યા છે. આવતા કેટલાક દિવસોમાં આ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

આઈસીએમઆરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, વાયરસના આ બદલાયેલા સ્વરૂપની આક્રમકતા જ તેની સૌથી મોટી કમજોરી છે.

આઈસીએમઆરના ચીફ એપિડમોલોજિસ્ટ ડોક્ટર સમીરન પાંડાએ મીડિયાને જણાવ્યું કે, જે વાયરસ વધારે પ્રમાણમાં ફેલાય છે તે વધારે ઘાતક ન હોઈ શકે. 

આના માત્ર પુરાવા નથી પરંતુ વૈજ્ઞાનિક તથ્યો પર પણ આ વાત કહેવામાં આવી રહી છે. 

આ કારણે લોકોએ આ વાયરસના બદલાયેલા સ્વરૂપથી કારણ વગર ડરવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More