Site icon

‘વન નેશન- વન ઇલેકશન’ આજના યુગની તાતી જરૂરિયાત… ‘સંવિધાન દિને’ વડાપ્રધાનનું દેશને સંબોધન .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સંવિધાન દિવસના અવસર પર કેવડિયામાં ચાલી રહેલા કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ આ દરમ્યાન મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે આપણે એ જખ્મને કયારેય ભૂલી શકીશું નહીં. તેની સાથે જ પીએમ મોદીએ એક વખત ફરીથી દેશનું ધ્યાન એક દેશ- એક ચુંટણી (One Nation – One Election) ની જરૂરિયાત તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત બતાવી.

Join Our WhatsApp Community

# વન નેશન-વન ઇલેકશન દેશની જરૂરિયાત —

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?
દેશમાં દરેક મહિનામાં કયાંક ને કયાંક ચૂંટણીઓ થતી રહે છે, એવામાં તેના પર મંથન શરૂ થવું જોઇએ. આજના યુગમાં આપણે સંપૂર્ણપણે ડિજિટલકરણની તરફ આગળ વધી રહ્યા છીએ. જે આવકારનીય પગલું છે..

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version