Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

One terrorist killed, another likely injured in fresh gunbattle in JandK's Rajouri

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. બીજી તરફ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Join Our WhatsApp Channel

વાસ્તવમાં, રાજૌરી વિસ્તારમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારબાદ ગઈકાલે (4 મે) આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા. હાલ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે SCO બેઠક માટે પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ ભારતમાં હાજર હતા. એટલા માટે તેને પાકિસ્તાનના મોટા ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બસ પ્રવાસ પર વિરામ! … મુંબઈની બેસ્ટ બસોના મુસાફરો ઘટ્યા, જાણો ચોંકાવનારા આંકડા અને કારણ..

જો સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પૂંચમાં આર્મી ટ્રક પર થયેલા હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળોએ તેમને સંપૂર્ણ રીતે ઘેરી લીધા છે. જો કે શુક્રવારે આ આતંકીઓના વિસ્ફોટમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version