Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

One terrorist killed, another likely injured in fresh gunbattle in JandK's Rajouri

જમ્મુ-કાશ્મીર: બારામૂલા અને રાજૌરીમાં હજુ પણ અથડામણ ચાલુ, આટલા આતંકવાદી ઠાર મરાયા..

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. બીજી તરફ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Join Our WhatsApp Channel

વાસ્તવમાં, રાજૌરી વિસ્તારમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારબાદ ગઈકાલે (4 મે) આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા. હાલ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે SCO બેઠક માટે પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ ભારતમાં હાજર હતા. એટલા માટે તેને પાકિસ્તાનના મોટા ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બસ પ્રવાસ પર વિરામ! … મુંબઈની બેસ્ટ બસોના મુસાફરો ઘટ્યા, જાણો ચોંકાવનારા આંકડા અને કારણ..

જો સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પૂંચમાં આર્મી ટ્રક પર થયેલા હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળોએ તેમને સંપૂર્ણ રીતે ઘેરી લીધા છે. જો કે શુક્રવારે આ આતંકીઓના વિસ્ફોટમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

Sonia Gandhi Medanta Hospital। સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, ટૂંક સમયમાં થશે નાની સર્જરી; કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાનું મોજું
India LNG Import 2026। જ્યારે હોર્મુઝથી ગેસ નથી આવી રહ્યો, તો ભારતમાં કેવી રીતે થઈ રહી છે પૂર્તિ? જાણો ભારતનો ‘પ્લાનબી’
Prateek Yadav Death News। શું પારિવારિક કલેશને કારણે પ્રતીક યાદવે લીધું અંતિમ ડગલું? જિમ મિત્રએ વર્ણવી આપવીતી ‘છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન હતા’; જાણો અંદરની વાત
Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ
Exit mobile version