News Continuous Bureau | Mumbai
Operation Lotus: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ( AAP ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal ) શનિવારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) પર દિલ્હીમાં ઓપરેશન લોટસ 2.0 શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે દાવો કર્યો કે ભાજપે AAPના 7 ધારાસભ્યોને ( MLAs ) પોતાની તરફ લલચાવવાનો પ્રયાસ કર્યો અને તેમને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. સીએમ કેજરીવાલે દાવો કર્યો હતો કે AAP ધારાસભ્યો ( AAP MLAs ) સાથે ભાજપ દ્વારા વાટાઘાટ કરવામાં આવી હતી, જેમણે કથિત રૂપે કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીની ( Delhi CM ) ટૂંક સમયમાં દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવશે.
સીએમ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, ભાજપે અમારા 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી છે. બીજા ધારાસભ્યો સાથે પણ વાતચીતો કરી શકે છે. તે પછી ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દેવા માંગે છે. તેથી આમ આદમી પાર્ટીના અન્ય સભ્યોને કહ્યું છે કે, તમે પણ ભાજપમાં આવી શકો છો. 25 કરોડ આપીશું.
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है – “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
આ સાથે તેમણે લખ્યું હતું કે, ‘જો કે તેઓ દાવો કરે છે કે તેમણે 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે પરંતુ અમારી માહિતી મુજબ, તેમણે અત્યાર સુધી માત્ર 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ના પાડી દીધી છે.
ભાજપ 21 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયામાં આપી ખરીદવા માંગે છેઃ આતિશી..
સીએમ કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો કે, ‘આનો મતલબ એ નથી કે કોઈ દારૂ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે.’
આ સમાચાર પણ વાંચો : Netflix: Netflix તેના યુઝર્સને મોટો આંચકો આપવા જઈ રહ્યું છે! આ પ્લાન બંધ થવાની સંભાવના.. સબસ્ક્રિપ્શન લેતા પહેલા.
જ્યારે AAPના રાજ્યસભા સાંસદ આતિશી માર્લેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે ભાજપે દિલ્હીમાં ઓપરેશન લોટસ 2.0 શરૂ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો, ‘છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપે 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. ભાજપ કહે છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે અને સરકારને ઉથલાવી દેશે. ભાજપ 21 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયામાં આપી ખરીદવા માંગે છે.
આતિશી માર્લેનાના આ આરોપો પર બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાનાએ તેમને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું, ‘આતિશી નવી રસપ્રદ વાતો સાથે ફરી મીડિયાની સામે આવી છે. તેણે આ પહેલા પણ આવુ જ કહ્યું છે, તે પછી પણ તે પુરાવા આપી શકી ન હતી.
બીજેપી નેતા કપિલ મિશ્રાએ આ આરોપોનો જવાબ આપતા કહ્યું, ‘કેજરીવાલ એ જ જૂઠ બોલી રહ્યા છે જે તેમણે છેલ્લા 7 વખત કહ્યું છે. તેઓ માત્ર આક્ષેપો કરે છે અને જવાબ આપ્યા વિના ભાગી જાય છે. તેમના ધારાસભ્યોનો સંપર્ક કોણે કર્યો, કયા નંબર પરથી કોલ કરવામાં આવ્યો, કંઈ જ કહેવામાં આવ્યું ન હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)