Site icon

PFI પર પ્રતિબંધ પછી- બે બિન-ભાજપ શાસિત રાજ્યોએ જાહેરનામું બહાર પાડ્યું

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા PFI પર પ્રતિબંધ મૂક્યા પછી, બે બિન-ભાજપ રાજ્યોએ(Non-BJP states) પણ આ સંગઠનને ગેરકાનૂની સંગઠન(Unlawful organization) તરીકે જાહેર કરતી સૂચના બહાર પાડી. તમિલનાડુ અને કેરળ સરકારે(Government of Kerala) PFI અને તેની સંબંધિત સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Join Our WhatsApp Community

PFI પર પ્રતિબંધ લગાવવા માટે ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ સંગઠનની આતંકવાદી(Terrorist), હિંસક અને ધાર્મિક કટ્ટરતા(Violent and religious) ફેલાવતી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર માધ્યમોથી એકત્ર કરાયેલા નાણાં વિશે માહિતી આપવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે PFI એ લગભગ દરેક દેશ વિરોધી કામ કર્યું છે જે ભારતને નબળું પાડી શકે છે. આ પ્રવૃતિઓ પરથી સમજી શકાય છે કે PFI માત્ર સમાજને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું પરંતુ તે ઝડપથી વિકાસ કરીને પોતાને મજબૂત પણ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : હું નહી લડુ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી – રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ચોંકાવનારું એલાન- જાણો કેમ ખસ્યાં

PFI શું છે?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની રચના 17 ફેબ્રુઆરી 2007ના રોજ થઈ હતી. દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોને(Muslim organizations) મર્જ કરીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ કેરળ(National Democratic Front of Kerala), કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી(Karnataka Forum for Dignity) અને તમિલનાડુની(Tamil Nadu) મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. 

પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ (Students Islamic Movement) (SIMI) પર પ્રતિબંધ લગાવ્યા બાદ PFIએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. તેની રચના થઈ ત્યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version