ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

શુક્રવાર

દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 96 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.  

ભારત આગામી સપ્તાહ સુધીમાં 100 કરોડથી વધુ રસી ડોઝના આંકડા પર પહોંચશે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 38,99,42,616 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. 

જોકે એક આંકડો એ પણ દર્શાવે છે કે અત્યારે 30% લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે આ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જે સમયે ભારતમાં 100 કરોડ કોરોના રસી ડોઝનો આંકડો પૂર્ણ થશે, તે સમયે તમામ જાહેર સ્થળોએ તમામ રેલવે સ્ટેશન, તમામ એરપોર્ટ અને બસ સ્ટેશન પર જાહેરાત એક સાથે કરવામાં આવશે. આ સિવાય દેશના તમામ દરિયાકિનારા અને જહાજો પર આ ખાસ સીમાચિહ્નરૂપ હૂટિંગ થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More