374
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
યુક્રેન રશિયા ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં યુક્રેનથી ભારતીયોના પરત આવવા અંગે નિવેદન આપ્યું છે.
એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ અમે અમારા 22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા લાવ્યા છીએ.
અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સામે પડકાર અમારા નાગરિકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાનો હતો.
તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. આ મુશ્કેલ સ્થિતિમાં અંજામ આપનાર એક મોટું ઓપરેશન હતું.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા હેઠળ માત્ર ભારતીયો જ નહીં પરંતુ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોણે કીધું મોદી રાજમાં મુસલમાનોને ન્યાય નથી મળતો. ગત પાંચ વર્ષમાં અધધ… આટલા કરોડ મુસ્લિમ બાળકો સરકારી ગ્રાન્ટ થી ભણ્યા. જાણો વિગતે
You Might Be Interested In