Site icon

Pahalgam attack: પાકિસ્તાન કનેક્શન પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકી! NIAના રિપોર્ટમાં 7 આરોપીઓનો પર્દાફાશ

Pahalgam attack પાકિસ્તાન કનેક્શન પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકી

Pahalgam attack પાકિસ્તાન કનેક્શન પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકી

News Continuous Bureau | Mumbai
Pahalgam attack રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ હુમલાની સાજિશનો પર્દાફાશ કરીને ચાર્જશીટ દાખલ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલાની સંપૂર્ણ સાજિશ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના સહયોગી સંગઠન TRF સાથે મળીને ઘડી હતી. ચાર્જશીટમાં ૪ પાકિસ્તાની આતંકીઓ અને ૨ સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સહિત કુલ સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

મુખ્ય સૂત્રધાર અને ષડયંત્ર

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર અને તેના મુખવટા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે મળીને હુમલાનો આખો પ્લાન તૈયાર કર્યો હતો.લશ્કરનો પાકિસ્તાની ઓપરેશનલ કમાન્ડર સાજિદ જટ્ટ ઉર્ફે સજ્જાદ જટ્ટ (હબીબુલ્લા) આ હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. NIA એ તેના પર પહેલાથી જ ₹૧૦ લાખનું ઇનામ જાહેર કરી રાખ્યું છે. લગભગ આઠ મહિનાની તપાસ પછી, ૧,૫૯૭ પાના પર આધારિત આ આરોપપત્રમાં આતંકીઓની ભૂમિકા અને પાકિસ્તાનના ષડયંત્રનો પુરાવા સાથે વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આરોપો અને આરોપીઓ

NIAની ચાર્જશીટમાં જાહેર કરાયેલા પહેલગામ હુમલાના આરોપીઓમાં કુલ સાત લોકોનો સમાવેશ થાય છે, જેમાં જટ્ટ સહિત ચાર પાકિસ્તાની આતંકીઓ, બે સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર, અને લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ તેની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સંસ્થાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આ હુમલાનો મુખ્ય હેતુ માત્ર આતંક ફેલાવવાનો જ નહોતો, પરંતુ ધર્મના આધારે હત્યાઓ કરીને સમગ્ર દેશમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો હતો, તેમ આરોપપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે ૨૨ એપ્રિલે પહેલગામના બેસરનમાં થયેલા આતંકી હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક ઘોડાવાળાનું મૃત્યુ થયું હતું.
આરોપીઓની વિગતો: ચાર પાકિસ્તાની આતંકીઓમાં સાજિદ જટ્ટ અને તાજેતરમાં ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા અન્ય ત્રણ આતંકીઓ – ફૈસલ જટ્ટ, હબીબ તાહિર અને હમઝા અફગાનીનો સમાવેશ થાય છે; તેમના પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, હુમલામાં મદદ કરનાર બે સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW) – પહેલગામના બેસરન નજીક રહેતા પરવેઝ જોથડ અને બશીર જોથડ (જેમની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી) – ને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Yamuna Expressway: ધુમ્મસનો કહેર યમુના એક્સપ્રેસવે પર બસો અને કાર વચ્ચે ચેન રિએક્શન અકસ્માત, 4નાં મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

તપાસની કાર્યવાહી

પહેલગામ હુમલાના ગુનેગારો અને સમગ્ર ષડયંત્રની જાણકારી મેળવવા માટે NIA એ ૧૦૦૦ થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.NIA એ નરસંહારના થોડા સમય પહેલા અને પછી પહેલગામ અને તેની આસપાસ સક્રિય રહેલા વિવિધ મોબાઇલ ફોન ની તપાસ કરી. ઇન્ટરનેટ મીડિયા પર સક્રિય વિવિધ જિહાદી તત્વોને પણ ચિહ્નિત કરવામાં આવ્યા. માર્યા ગયેલા આતંકીઓના મોબાઇલ ફોનના ડેટાના આકલનમાંથી જાણવા મળ્યું કે હુમલામાં લશ્કર અને TRF ના પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સંડોવાયેલા છે.

Exit mobile version