Site icon News Continuous Bureau | Mumbai

Jaisalmer Bus: ભયાનક! જેસલમેર બસ અકસ્માતમાં આટલા થી વધુ લોકો જીવતા ભડથું, ધુમાડાથી દરવાજો ‘લોક’ થતાં મુસાફરો મારતા રહ્યાં તરફડિયાં

જેસલમેરથી જોધપુર જતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા 20 યાત્રીઓનાં મોત અને 16 ઘાયલ, બસને નોર્મલમાંથી ACમાં મોડિફાય કરાવાઈ હતી.

Jaisalmer Bus ભયાનક! જેસલમેર બસ અકસ્માતમાં આટલા થી વધુ લોકો જીવતા ભડથું, ધુમાડાથી દરવાજો

Jaisalmer Bus ભયાનક! જેસલમેર બસ અકસ્માતમાં આટલા થી વધુ લોકો જીવતા ભડથું, ધુમાડાથી દરવાજો

News Continuous Bureau | Mumbai

Jaisalmer Bus ગઈ કાલે બપોરે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક ખાનગી બસ અચાનક આગની લપેટમાં આવી ગઈ, જેમાં લગભગ 20 યાત્રીઓનાં મોત થયા અને 16 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. 57 યાત્રીઓ સાથે જોધપુર તરફ જઈ રહેલી બસમાં આ ઘટના જેસલમેર-જોધપુર હાઈવે પર થઇ. જાણવા મળ્યું છે કે દુર્ઘટના વાળી બસને નોર્મલમાંથી ACમાં મોડિફાય કરવામાં આવી હતી અને આ જ સેન્ટ્રલ ACમાં શોર્ટ સર્કિટ ઘટના નું કારણ બન્યું. KK ટ્રાવેલ્સની આ નવી બસને 5 દિવસ પહેલા જ આ રૂટ પર લગાવવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

ધુમાડો ભરાતા લોક થઈ ગયો હતો દરવાજો

જાણકારી અનુસાર, આગ લાગતા જ ધુમાડો ભરાઈ જવાથી બસનો દરવાજો લોક થઈ ગયો હતો, જેના કારણે લોકો તરફડતા રહી ગયા. આ દુર્ઘટના માં સેતરાવાના લવારન ગામના મહેન્દ્ર મેઘવાલ ના 5 લોકોનો આખો પરિવાર જ ખતમ થઈ ગયો.

કાચ તોડીને કૂદ્યા લોકો, આર્મીએ કર્યું રેસ્ક્યૂ

ઘટનાસ્થળે પહોંચેલા થઈયાત ગામના કસ્તૂર સિંહે ઘટનાની પૂરી જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ‘લોકો કાચ તોડીને કૂદ્યા અને જીવ બચાવી લેવા માટે આજીજી કરતા રહ્યા. ઘટના દરમિયાન ઘણી વાર સુધી કોઈ ફાયર બ્રિગેડ આવી નહીં. અંતે, આર્મીએ JCB લગાવીને બસનો ગેટ તોડ્યો અને લોકોનું રેસ્ક્યૂ કર્યું.’ કસ્તૂર સિંહે દાવો કર્યો કે બસમાંથી 16 લોકોને જ બહાર કાઢવામાં આવ્યા હતા.

દીપાવલી મનાવવા પરિવાર પાસે જઈ રહ્યા હતા મહેન્દ્ર

મહેન્દ્ર જેસલમેરમાં સેનાના ગોળા બારૂદ ડિપોમાં કાર્યરત હતા અને શહેરમાં ઇન્દ્રા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ દીપાવલી મનાવવા માટે પરિવાર પાસે ગામ જઈ રહ્યા હતા. જેસલમેરના એક સ્થાનિક પત્રકાર પણ આ બસ દુર્ઘટના માં જીવતા બળી ગયા. તેઓ એક ઉદ્ઘાટન માં પોખરણ જઈ રહ્યા હતા. ઘાયલોમાં એક કપલ પણ છે, જેઓ પ્રી-વેડિંગ શૂટ કરાવીને જોધપુર પાછા ફરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Sonakshi Sinha: ફેશન શોમાં સોનાક્ષી સિન્હા એ કરી એવી હરકત કે થઇ રહી છે તેની પ્રેગ્નન્સી ની ચર્ચા, જુઓ વિડીયો

DNA તપાસથી થઈ રહી છે મૃતકોની ઓળખ

બસને સેના સ્થળ (વૉર મ્યુઝિયમ નજીક) લાવવામાં આવી છે અને મૃતકોની ઓળખ માટે DNA તપાસ કરવામાં આવી રહી છે. બળી ગયેલા યાત્રીઓની ઓળખ કરીને તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણ, જોધપુર મેટ્રો દ્વારા બર્ન વૉર્ડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version