Site icon

મોદી સરકારને મોટો આંચકો, પેગાસસ જાસૂસી કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, તપાસ માટે બનાવી આટલા સભ્યોની કમિટી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Community

બુધવાર

પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે લોકોની જાસૂસીને કોઈપણ કિંમતે મંજૂરી આપી શકાય નહીં. 

સાથે જ કોર્ટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અને તપાસ માટે આઠ સપ્તાહનો સમય આપ્યો છે. 

ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન કરશે, જયારે અન્ય સભ્યો આલોક જોશી અને સંદીપ ઓબેરોય હશે.

કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે આ મામલે કેન્દ્ર દ્વારા કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે ગત 13 સપ્ટેમ્બરે ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

મુંબઈ મહાનગર પાલિકાનો અજબ કારભાર; દાદરમાં પરપ્રાંતિય ફેરીયાઓનો કબજો; સ્થાનિક ફેરીયાઓને ચિંતા.

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version